ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shivraj Singh Chouhanનું મોટું એલાન...

દેશના ખેડૂતો માટે મોટા સમાચાર તમામ પાકો MSP થી ખરીદવામાં આવશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું મોટુ નિવેદન રાજ્યસભા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યું નિવેદન Shivraj Singh Chouhan : દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે...
12:41 PM Dec 07, 2024 IST | Vipul Pandya
દેશના ખેડૂતો માટે મોટા સમાચાર તમામ પાકો MSP થી ખરીદવામાં આવશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું મોટુ નિવેદન રાજ્યસભા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યું નિવેદન Shivraj Singh Chouhan : દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે...
Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan : દિલ્હી બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Shivraj Singh Chouhan) લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર લઘુત્તમ ટેકાના ભાવે તમામ કૃષિ પેદાશોની ખરીદી કરશે. ઉપલા ગૃહમાં, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન ચૌહાણે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મુદ્દે પૂરક પ્રશ્નોના જવાબ આપતાં ખેડૂતોને આ ખાતરી આપી હતી.

દરેક પાકની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

શિવરાજે આ ખાતરી એવા દિવસે આપી છે જ્યારે ખેડૂતો તેમની માંગણીઓને લઈને દિલ્હી કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે. ચૌહાણે ગૃહને કહ્યું, “હું તમારા (સ્પીકર) દ્વારા ગૃહને ખાતરી આપવા માંગુ છું કે ખેડૂતોની તમામ ઉપજ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ મોદી સરકાર છે અને તે મોદીની ગેરંટી પૂરી કરવાની ખાતરી આપે છે. ''તેમણે કહ્યું, ''જ્યારે બીજી બાજુ અમારા મિત્રો સત્તામાં હતા, ત્યારે તેઓએ રેકોર્ડ પર કહ્યું હતું કે તેઓ એમએસ સ્વામીનાથન કમિશનની ભલામણોને સ્વીકારી શકતા નથી, ખાસ કરીને ઉત્પાદનની કિંમત કરતાં 50 ટકા વધુ આપવાનો મુદ્દો. . મારી પાસે રેકોર્ડ છે.'' ચૌહાણે તેમના દાવાના સમર્થનમાં પૂર્વ કૃષિ રાજ્ય મંત્રી કાંતિલાલ ભુરિયા, કૃષિ મંત્રી શરદ પવાર અને કે.વી. થોમસને ટાંક્યા.

આ પણ વાંચો---Jharkhand : હેમંત સોરેનની સરકાર ભ્રષ્ટ, Shivraj Singh એ કહ્યું- 'Cyclone Dana' કરતા પણ ઘાતક

અધ્યક્ષ ધનખરે પુરાવા માંગ્યા

શિવરાજના દાવા બાદ, ઉપલા ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને તેમના દાવાની પુષ્ટિ કરવા માટે દસ્તાવેજો ટેબલ કરવા કહ્યું. ચૌહાણ આ માટે સંમત થયા. મંત્રીએ દાવો કર્યો કે, “તેઓએ (અગાઉની યુપીએ સરકાર) ક્યારેય ખેડૂતોનું સન્માન કર્યું નથી અને ખેડૂતોની લાભકારી કિંમતોની માંગણીઓને ક્યારેય ગંભીરતાથી ધ્યાનમાં લીધી નથી. હું તમારા દ્વારા ગૃહને ખાતરી આપવા માંગુ છું કે 2019થી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર 50 ટકા નફો આપીને લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.

સરકાર પહેલાથી જ ખેડૂતોને યોગ્ય ભાવ આપી રહી છે

શિવરાજ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે મોદી સરકાર પહેલાથી જ ખેડૂતોને યોગ્ય ભાવ આપી રહી છે. ચૌહાણે જણાવ્યું હતું કે ડાંગર, ઘઉં, જુવાર, સોયાબીન ત્રણ વર્ષ પહેલા ઉત્પાદન ખર્ચ કરતાં 50 ટકા વધુ ભાવે ખરીદવામાં આવે છે. તેમણે નિકાસ જકાત અને કોમોડિટીના દરો ઘટે ત્યારે બદલાતી કિંમતોમાં હસ્તક્ષેપનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો---Rajya Sabha માં અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી મળી આવ્યા નોટોના બંડલ, ગૃહમાં હોબાળો

Tags :
agricultureall crops will be purchased at MSPAssurance to farmersCost of ProductioncropsFarmers Protestjowarminimum support priceModi governmentMS Swaminathan CommissionMSPNarendra Modi governmentpaddyPrime Minister Narendra ModiRajya Sabhashivraj singh chouhanSoybeanUnion Agriculture Minister Shivraj Singh Chouhanwheat
Next Article