ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda : મીઠાપુરામાં કમોસમી વરસાદનો ઘાત : મકાન ધરાશાયી થતાં વિધવા મહિલાનું મોત, બે બાળકો નિરાધાર

Kheda : ગુજરાતમાં વહેલા વરસાદના કારણે ખેડા જિલ્લાના મીઠાપુરા ગામના મોટા ખેતર વિસ્તારમાં એક હૃદયદ્રાવક દૂર્ઘટના ઘટી છે. કમોસમી વરસાદને કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ જતાં એક વિધવા મહિલાનું કરૂણ મોત થયું છે, જ્યારે તેના બે નાના બાળકોના આબાદ બચાવ થયો છે. આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં ભય અને દુઃખનું વાતાવરણ ફેલાવી દીધું છે.
04:27 PM Nov 02, 2025 IST | Mujahid Tunvar
Kheda : ગુજરાતમાં વહેલા વરસાદના કારણે ખેડા જિલ્લાના મીઠાપુરા ગામના મોટા ખેતર વિસ્તારમાં એક હૃદયદ્રાવક દૂર્ઘટના ઘટી છે. કમોસમી વરસાદને કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ જતાં એક વિધવા મહિલાનું કરૂણ મોત થયું છે, જ્યારે તેના બે નાના બાળકોના આબાદ બચાવ થયો છે. આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં ભય અને દુઃખનું વાતાવરણ ફેલાવી દીધું છે.

Kheda : ગુજરાતમાં વહેલા વરસાદના કારણે ખેડા જિલ્લાના મીઠાપુરા ગામના મોટા ખેતર વિસ્તારમાં એક હૃદયદ્રાવક દૂર્ઘટના ઘટી છે. કમોસમી વરસાદને કારણે કાચા મકાનની દીવાલ ધરાશાયી થઈ જતાં એક વિધવા મહિલાનું કરૂણ મોત થયું છે, જ્યારે તેના બે નાના બાળકોના આબાદ બચાવ થયો છે. આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં ભય અને દુઃખનું વાતાવરણ ફેલાવી દીધું છે.

Kheda : દિવાળ પડતા મહિલાનું સારવાર દરમિયાન મોત

આ અકસ્માતમાં મૃતક મહિલા આંગણવાડી કેન્દ્રમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેમના પતિના અકાળ મોત પછી મહિલા એકલાહાથે પોતાના બે માસૂમ બાળકોને ઉછેરતી હતી. કમોસમી વરસાદી તોફાનને કારણે તેમના કાચા મકાનની દીવાલ તૂટી પડી હતી. આ ઘટનામાં રમીલા બેન દબાઈ ગયા હતા. જ્યારે તેમના બાળકોને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા.  મૃતક મહિલાના બે બાળકો છે, જેમાંથી એક  6 વર્ષ અને બીજો 8 વર્ષનો છે.

સ્થાનિક વાસીઓ અને પડોશીઓએ તાત્કાલિક મદદ કરીને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા અને તેમને નજીકની ડાકોર સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. મહિલાને પણ ત્યાં લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. હોસ્પિટલ સુત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, મૃતક મહિલાને ગંભીર ઇજા થઈ હતી અને તેમના શરીર પર અનેક ફ્રેક્ચર અને આંતરિક રક્તસ્ત્રાવ હતો, જેના કારણે તેમને બચાવી શકાયા નહીં.

આ પણ વાંચો- Bangladeshi ઘૂસણખોર મહિલા/યુવતીઓ પૈકી કોઈ 4 વર્ષથી તો કોઈ મહિનાઓથી પશ્ચિમ અમદાવાદમાં ભાડે રહેતી હતી

માતાના મોત પછી બે બાળકો થયા અનાજ

આ ઘટના પછી પિતાના અકાળ મોત પછી માતાને પણ ગુમાવતા બે બાળકો હવે સંપૂર્ણપણે નિરાધાર બની ગયા છે. તેમના પરિવારમાં કોઈ અન્ય આધાર નથી, અને તેઓ હવે માતા-પિતા વગર અનાજ બની ગયા છે. સ્થાનિક વાસીઓએ જણાવ્યું કે, રમીલા બેન ખૂબ જ મહેનતુ અને સમાજસેવા કરનારી મહિલા હતી, અને તેમના મોતથી આંગણવાડી કેન્દ્ર પણ અસરગ્રસ્ત થયું છે.

ડાકોર પોલીસે આ ઘટનાની પૂરતી તપાસ હાથ ધરી છે અને કાચા મકાનના ધારાશાયી થવાના કારણોની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આવી ઘટનાઓને રોકવા માટે કાચા મકાનોની મજબૂતી અને વરસાદી મોસમમાં સાવચેતીની જરૂર છે. તેમણે ગુનો નોંધી લીધો છે અને તપાસ ચાલુ છે.

આ પહેલા પણ રાજ્યમાં મકાન ધરાશાયી થવાના કેસોમાં એક મહિલા સહિત અન્ય બે લોકોના મોત થયાના સમાચાર ચમકી ચૂક્યા છે. રાજ્યમાં અનેક ગરીબીની નીચે રહેતા લોકો પોતાના જર્જરિત મકાનોમાં રહી રહ્યાં છે. ગામડાઓમાં ગામ પંચાયતને એટલે કે સરપંચને જવાબદારી આપીને આવા જર્જરિત મકાનમાં રહેતા લોકોના મકાનોનું રિનોવેશન કરાવવામાં આવે તો ગરીબ લોકોના જીવ બચી શકે છે.

આ માટે રાજ્ય સરકાર સહાય પણ આપી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે સરપંચથી લઈને તલાટી સુધીની અયોગ્ય કામગીરીના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. જો સરકારી કર્મચારીઓ અને સરપંચમાં ઈચ્છા શક્તિ હોય તો આવી ઘટનાઓને રોકી શકાય છે.

આ પણ વાંચો- Gujarat Farmer: માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોની પડખે સરકાર, સોશિયલ મીડિયા મારફતે CMએ વ્યક્ત કર્યો નિર્ધાર

Tags :
Destitute ChildrenGujarat NewsKhedaKheda AccidentMeethapura Deathunseasonal rainWidow Women
Next Article