Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US-Israel Iran War: CM ભગવંત માન વિદેશમાં ફસાયેલા પંજાબીઓની વ્હારે, હેલ્પલાઇન નંબર કર્યા જાહેર

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધને કારણે UAE માં ઘણા પંજાબના પ્રવાસીઓ ફસાઈ ગયા છે. ત્યારે પંજાબ સરકારે તેમના સુરક્ષિત પાછા ફરવા માટે પગલાં લીધા છે અને NRI વિંગ નંબરો જાહેર કર્યા છે. બીજી તરફ અમેરિકા સાથે વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. જેથી આ યુધ્ધ હવે વધુ તણાવપૂર્ણ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
us israel iran war  cm ભગવંત માન વિદેશમાં ફસાયેલા પંજાબીઓની વ્હારે  હેલ્પલાઇન નંબર કર્યા જાહેર
Advertisement
  • US-Israel Iran War: CM ભગવંત માનએ NRI વિંગને સક્રિય કરી
  • વિદેશમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
  • ઈરાને અમેરિકા સાથે વાતચીતનો ઈન્કાર કર્યો

US-Israel Iran War: ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે  ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઘણા પંજાબી પરિવારો સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ફસાયેલા છે. તેમાંના મોટા ભાગના પ્રવાસીઓ છે જેઓ પ્રવાસ પર ગયા હતા પરંતુ ફ્લાઇટ રદ થવાને કારણે ઘરે પાછા ફરી શક્યા ન હતા. પંજાબ સરકારે તેમના સુરક્ષિત પાછા ફરવા માટે પગલાં લીધા છે અને NRI વિંગ નંબરો જાહેર કર્યા છે.

US-Israel Iran War:"વહેલી તકે તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ"

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ કહ્યું આરબ દેશોમાં યુદ્ધના કારણે ઘણા પંજાબીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને સરકારે NRI વિંગના સંપર્ક નંબરો જાહેર કર્યા છે. CM ભગવંત માને કહ્યું વધુમાં કહ્યું "આરબ દેશોમાં ચાલી રહેલી લડાઈને કારણે આ દેશોમાં ઘણા પંજાબીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજે જ અમે NRI વિંગ નંબરો જાહેર કર્યા છે. જો કોઈના પરિવારજનો દેશોમાં ફસાયેલ હોય તો કૃપા કરીને તાત્કાલિક તેમનો સંપર્ક કરો. હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું. અમે તેમને શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે તૈયાર છીએ."

Advertisement

Advertisement

NRI વિંગ પંજાબ 24/7 કંટ્રોલ રૂમ

0172-2260042

0172-2260043

વોટ્સએપ નંબર

+919478779112

ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ સંદર્ભમાં વિદેશમાં ભારતીય મિશન સાથે સંપર્કમાં છે.

US-Israel Iran War: ઇરાનનના અનેક સ્થળો મોટા હુમલા

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ અમેરિકા અને ઇઝરાયલે રવિવારે ઈરાનમાં અનેક સ્થળોએ મોટા હુમલા કર્યા, બેલિસ્ટિક મિસાઇલ બેઝ પર બોમ્બમારો કર્યો અને યુદ્ધ જહાજોનો નાશ કર્યો છે.

ઈરાને અમેરિકા સાથે વાત કરવાનો કર્યો ઈન્કાર

યુધ્ધની ભયાનક સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના નવા નેતૃત્વ સાથે વાતચીત કરવાના સંકેતો વચ્ચે એક ટોચના ઈરાની સુરક્ષા અધિકારીએ કહ્યું કે તેઓ વોશિંગ્ટન સાથે વાટાઘાટો કરશે નહીં. ટ્રમ્પે રવિવારે સંકેત આપ્યો હતો કે તેઓ ઈરાનના નવા નેતૃત્વ સાથે વાત કરવા તૈયાર છે. તેમણે 'ધ એટલાન્ટિક' મેગેઝિન સાથે વાત કરી હતી, "તેઓ વાત કરવા માંગે છે, હું વાત કરવા સંમત થયો છું, તેથી હું તેમની સાથે વાત કરીશ." જોકે, ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ X પર ચેતવણીના સ્વરમાં લખ્યું, "અમે અમેરિકા સાથે વાટાઘાટો કરીશું નહીં."

આ પણ વાંચોઃ US-Israel Iran War: 'અમને મદદ કરો’, ફ્લાઈટ્સ બંધ થતાં મહેસાણાના 3 વેપારી દુબઈમાં અટવાયા

Tags :
Advertisement

.

×