VADODARA : ઉર્મિ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણી છોડાતા રોષ
VADODARA : મ્યુનિસિપલ કમિશનરે નદીમાં કચરો જોઇને તેને સફાઇ કરવાની સાથે છોડવામાં આવતા ગટરના પાણી બંધ કરવાની સૂચના આપી હતી
Advertisement
- વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણીનો નિકાલ જારી
- મ્યુનિસિપલ કમિશનરની સૂચનાને પણ તંત્ર માનતું નથી
- વિશ્વામિત્રી પ્રોજેક્ટ વચ્ચે નદીની હાલત દયનીય થતી જાય છે
VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ને ઉંડી અને પહોળી કરવામાં આવી રહી છે. આ વચ્ચે નદીમાં ગટરના દુષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. શહેરના સમા તરફ જતા રસ્તામાં આવતા ઉર્મિ બ્રિજ નીચેથી પાઇપલાઇન મારફતે દુષિત પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખુબ ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ વહીવટી તંત્ર તેમની વાત પણ ધ્યાને નહીં લેતું હોવાનું આ ઘટના પરથી ફલિત થવા પામ્યું છે.

