ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara: બ્રિજ ધરાશાયી થવા મુદ્દે માર્ગ અને મકાન વિભાગના સચિવનું નિવેદન સામે આવ્યું

સચિવ માર્ગ અને મકાન વિભાગ પી.આર.પટેલિયાએ જણાવ્યું છે કે બ્રિજના એક ભાગને નુકશાન થયું
12:16 PM Jul 09, 2025 IST | SANJAY
સચિવ માર્ગ અને મકાન વિભાગ પી.આર.પટેલિયાએ જણાવ્યું છે કે બ્રિજના એક ભાગને નુકશાન થયું

Vadodara: વડોદરાના પાદરા પાસે બ્રિજ ધરાશાયી થવા મુદ્દે માર્ગ અને મકાન વિભાગના સચિવનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સચિવ માર્ગ અને મકાન વિભાગ પી.આર.પટેલિયાએ જણાવ્યું છે કે બ્રિજના એક ભાગને નુકશાન થયું છે. મુખ્યમ ઇજનરે અને બ્રિજ એકપર્ટને ઘટના સ્થળે મોકલ્યા છે. આ બ્રિજ ટ્રાફિકેબલ હતો એટલે ચાલુ જ હતો. હાલ જર્જરિત 20 છે તે નવા બની રહ્યા છે.

પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે

પાદરામાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ થયુ છે. અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. જેમાં લોકોના ટોળા ઉમટ્યા છે તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ કેટલાક લોકો નદીમાં પડ્યા હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ સવારે તૂટતા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા છે અને 9 લોકોના મોત થયા છે, જ્યારે લોકોનું રેસ્કયુ કરાયું છે. સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત ગંભીરા બ્રિજ તૂટ્યો છે.

બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા

પોલીસ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા. પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે કહ્યું હતું કે કાર અને બાઈક પણ પૂલમાં ખાબકી છે. પૂલ છેલ્લા સમયથી જર્જરિત હતો. બ્રિજ તૂટતા નદીમાં બે ટ્રક ખાબક્યા હતા. દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટક્યું હતું. પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી શરુ કરાઇ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે મહીસાગર નદી પર મુંજપુર બ્રિજ તૂટ્યો ત્યારે એક બોલેરો, એક બાઈક નદીમાં ખાબક્યા હતા.

આ પણ વાંચો: LIVE: Vadodara : ગંભીરા બ્રિજના બે કટકા થયા, 9ના મોત થયા તેમજ મૃત્યુઆંક વધવાની શક્યતા

 

Tags :
Accident Gujarat NewsBambhira Bridge CollapsebridgecollapseGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsTop Gujarati NewsVadodara
Next Article