VADODARA : વિશ્વામિત્રી નદીને અવરોધરૂપ બુલેટ ટ્રેનના એપ્રોચ રોડ દુર કરાયા
VADODARA : નોંધનીય છે કે, ગત વર્ષે પૂર બાદ બુલેટ ટ્રેનના પિલરના કામ માટે નદીમાં મુકેલી પ્લેટના કારણે પાણી અવરોધાયું હોવાની બુમો ઉઠી હતી
Advertisement
- વિશ્વામિત્રી નદી પર બુલેટ ટ્રેનની કામગીરી માટેના દબાણોનો ચોમાસા પૂર્વે નિકાલ
- તાજેતરમાં હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા નિમેલી કમિટીએ અહેવાલ માંગ્યો હતો
- 9 સ્થળોએથી એપ્રોચ રોડ હટાવી દેવામાં આવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં પૂરની સ્થિતી ટાળવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VISHWAMITRI) હાથ પર લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીમાં બુલેટ ટ્રેનની (BULLET TRAIN) કામગીરી માટે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યા હતા. જે નદીના વહેણ માટે અવરોધરૂપ હતા. જો કે, ચોમાસુ બેસે તે પહેલા જ તેને દુર કરી દેવામાં આવ્યા છે. 9 સ્થળોએથી એપ્રોચ રોડ હટાવી દેવામાં આવ્યા છે. જેને પગલે બુલેટ ટ્રેન માટે તૈયાર કરાયેલા માળખા મુશ્કેલી નહીં સર્જે.

