Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: વિશ્વની પ્રથમ ગ્લોબલ વનતારા યુનિવર્સિટીનું લોન્ચિંગ, વન્યજીવ સંરક્ષણ માટે અનંત અંબાણીની ઐતિહાસિક પહેલ

જામનગરની ધરતી પરથી એક એવી શૈક્ષણિક ક્રાંતિનો પ્રારંભ થયો છે જે માત્ર માનવીઓ માટે જ નહીં, પણ મૂંગા જીવોના કલ્યાણ માટે સમર્પિત છે. અનંત અંબાણીના વિઝન સાથે સ્થપાયેલી આ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો અનોખો સંગમ જોવા મળશે. વન્યજીવ સંરક્ષણના આ નવા ગ્લોબલ હબમાં એવું શું ખાસ છે જે તેને વિશ્વની અન્ય સંસ્થાઓથી અલગ પાડે છે?
jamnagar  વિશ્વની પ્રથમ ગ્લોબલ વનતારા યુનિવર્સિટીનું લોન્ચિંગ  વન્યજીવ સંરક્ષણ માટે અનંત અંબાણીની ઐતિહાસિક પહેલ
Advertisement
  • Jamnagar માં વિશ્વની પ્રથમ ગ્લોબલ 'વનતારા યુનિવર્સિટી' લોન્ચ!
  • અનંત અંબાણીએ વન્યજીવ સંરક્ષણ માટે આધુનિક ગુરુકુળની સ્થાપના કરી
  • ભારતને વન્યજીવ અને પશુચિકિત્સા શિક્ષણનું ગ્લોબલ હબ બનાવવાનો લક્ષ્ય
  • પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના ઉમદા સિદ્ધાંતો અને કરુણા પર આધારિત મોડેલ
  • દેશના વિવિધ ભાગોની પવિત્ર માટી અને પાણીથી કરાયો વિધિવત શિલાન્યાસ
  • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની મોટી જાહેરાત

Jamnagar: 10એપ્રિલ 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી (Anant Ambani) દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા 'વનતારા' એ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટી (Vantara University) ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટી વન્યજીવ સંરક્ષણ (Wildlife Conservation) અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન (Veterinary Science) ને સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે.

Advertisement

Jamnagar_gujarat_first

Advertisement

Jamnagar : આધુનિક ગુરુકુળની પરિકલ્પના

વનતારા યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના વૈશ્વિક હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. આ સંસ્થા પ્રાચીન નાલંદા યુનિવર્સિટી (Nalanda University) ના સિદ્ધાંતો અને "આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:" (તમામ દિશાઓથી અમને ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ) ના ભાવથી પ્રેરિત છે. શિલાન્યાસ સમારોહમાં ભારતભરના વિવિધ ભૌગોલિક પ્રદેશો જેવા કે હિમાલય, જંગલો અને ઘાસિયા મેદાનોમાંથી એકત્ર કરાયેલી માટી અને પાણીનો ઉપયોગ કરાયો હતો, જે દેશના કુદરતી વારસાનું પ્રતીક છે.

Jamnagar_gujarat_first

શૈક્ષણિક અભ્યાસક્રમ અને સુવિધાઓ

આ યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ અને ફેલોશિપ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હશે. જેમાં વન્યજીવન ઔષધિ, શસ્ત્રક્રિયા, આનુવંષિકતા અને પર્યાવરણ ડિઝાઇન જેવા વિષયો ભણાવવામાં આવશે. અનંત અંબાણીએ જણાવ્યું કે, "વન્યજીવ સંરક્ષણનું ભાવિ કરુણા, જ્ઞાન અને કૌશલ્ય પર નિર્ભર છે." આ સાથે જ 'એવરી લાઇફ મેટર્સ' (Every Life Matters) શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. અદ્યતન ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે આ યુનિવર્સિટી પ્રાણી કલ્યાણના ક્ષેત્રમાં નવા આયામો સર કરશે.

આ પણ વાંચો : ગુજરાત IPS એસોસિએશનની નવી કારોબારી જાહેર, જી.એસ. મલિક પ્રમુખ અને પીયૂષ પટેલ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા

Tags :
Advertisement

.

×