અમે ધરતી પર સંકલ્પ લીધો અને ચંદ્ર પર પુરો કર્યો : PM MODI
ભારતના ચંદ્રયાન 3 (Chandrayaan-3) એ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)પણ આ ક્ષણના સાક્ષી બન્યા હતા. હાલમાં તેઓ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટમાં છે. દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન 3 ના ઉતરાણ વખતે પીએમ મોદી...
06:44 PM Aug 23, 2023 IST
|
Vipul Pandya
ભારતના ચંદ્રયાન 3 (Chandrayaan-3) એ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)પણ આ ક્ષણના સાક્ષી બન્યા હતા. હાલમાં તેઓ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટમાં છે. દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન 3 ના ઉતરાણ વખતે પીએમ મોદી ISRO સાથે લાઈવ જોડાયેલા હતા. તે દરેક ક્ષણને ગર્વથી જોતા રહ્યા હતા. લેન્ડર અને રોવરે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરતાની સાથે જ પીએમ મોદીએ આ મહાન સિદ્ધિ માટે દેશના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા અને અભિનંદન આપ્યા. તેમણે તિરંગો લહેરાવીને ભારતની આ સિદ્ધિ પર પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
તમામ વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીએ ચંદ્ર પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બદલ તમામ વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિને સૌથી મોટી ગણાવતા તેમણે કહ્યું કે અમે પૃથ્વી પર સંકલ્પ લીધો હતો અને ચંદ્ર પર તેને પૂર્ણ કર્યો હતો. સમગ્ર દેશ માટે આ ગૌરવની ક્ષણ છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચ્યો. દેશ આ દિવસને હંમેશ માટે યાદ રાખશે. આ દિવસ આપણને બધાને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા આપે.
સમગ્ર માનવતા માટે મોટો દિવસ
પીએમ મોદીએ કહ્યું કે ભારતનું સફળ ચંદ્ર મિશન એકલા ભારતનું નથી...આ સફળતા સમગ્ર માનવતાની છે. તેથી તે ભારત અને સમગ્ર માનવતા માટે એક મોટો દિવસ છે. આ પહેલા કોઈ દેશ ત્યાં (ચંદ્રનો દક્ષિણ ધ્રુવ) પહોંચ્યો નથી. અમારા વૈજ્ઞાનિકોની મહેનતથી અમે ત્યાં સુધી પહોંચ્યા છીએ. જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છીએ ત્યારે આપણે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. આ નવા ભારતનો સૂર્યોદય છે.
ચંદા મામા હવે દૂર નથી, માત્ર એક પ્રવાસ છે
પીએમએ કહ્યું કે ભારતમાં આપણે પૃથ્વી માતા અને ચંદ્રને મામા કહીએ છીએ. એક જમાનામાં એવું કહેવાતું હતું કે ચંદા મામા દૂરથી આવ્યા છે, હવે એક દિવસ એવો પણ આવશે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા હમણાં જ પ્રવાસ પર છે. ભારતીય વૈજ્ઞાનિકો પર ગર્વ લેતા તેમણે કહ્યું કે ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
Next Article