World Food Safety Day નિમિત્તે WHO એ આંકડાઓ સાથે દૂષિત ખોરાકની સમસ્યાની ગંભીરતા ઉભી કરી છે. WHO ના અહેવાલ મુજબ, દર વર્ષે વિશ્વભરમાં લગભગ 86.6 કરોડ લોકો દૂષિત ખોરાકને કારણે બીમાર પડે છે, જ્યારે લગભગ 15 લાખ લોકો મૃત્યુ પામે છે. આમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૌથી વધુ અસર કરે છે.
World Food Safety Day : દર વર્ષે 7 જૂને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય દૂષિત ખોરાક અને પાણીથી થતા રોગોનું જોખમ ઘટાડવાનો અને સલામત અને પૌષ્ટિક ખોરાક વિશે જાગૃતિ લાવવાનો છે. સામાન્ય રીતે લોકો માને છે કે, દૂષિત ખોરાક અને પાણી પેટ સંબંધિત રોગોની શક્યતા વધારી શકે છે, પરંતુ જો પેટના રોગો ગંભીર બને છે, તો તે જીવલેણ પણ બની શકે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ફરી એકવાર આંકડાઓ સાથે દૂષિત ખોરાકની સમસ્યાની ગંભીરતા ઉભી કરી છે. WHO ના અહેવાલ મુજબ, દર વર્ષે વિશ્વભરમાં લગભગ 86.6 કરોડ લોકો દૂષિત ખોરાકને કારણે બીમાર પડે છે, જ્યારે લગભગ 15 લાખ લોકો મૃત્યુ પામે છે. આમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, તે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સૌથી વધુ અસર કરે છે.
World Food Safety Day, ડેટાના સચોટ ઉપયોગથી ઉપાય
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 2026 ની આ વર્ષની થીમ છે: "ભારણથી ઉકેલો સુધી - દરેક જગ્યાએ સુરક્ષિત ખોરાક." (From burden to solutions - safe food everywhere). આ થીમ ખોરાકજન્ય બીમારીઓનો સામનો કરવા અને ખોરાકજન્ય બીમારીઓથી થતા નુકસાન પર સચોટ ડેટાનો ઉપયોગ કરીને નક્કર ઉકેલો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
World Food Safety Day, ખાદ્ય સુરક્ષાનું મહત્વ જાણી લો
- બીમારીઓથી બચાવ : દૂષિત ખોરાક ખાવાથી ઝાડા સહિતની અન્ય ગંભીર ખોરાકજન્ય બીમારીઓ થઇ શકે છે, ખાસ કરીને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધો માટે કેટલીક બીમારીઓ તો જીવલેણ હોઈ શકે છે, .
- આરોગ્ય અને પોષણ : આ ખાતરી કરે છે કે, આપણા શરીરને સલામત અને પૌષ્ટિક ખોરાક મળે છે, જે સારા સ્વાસ્થ્ય અને મજબૂત રોગપ્રતિકારક શક્તિમાં ઉમેરો કરી આપે છે.
- ટકાઉ વિકાસ : ભૂખ દૂર કરવા અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા તરફ સલામત ખોરાક પુરવઠો એક મહત્વપૂર્ણ પગલું છે.
સલામત ખોરાક માટે આટલું કરો
- સ્વચ્છતા જાળવો: ખોરાક તૈયાર કરતા અને ખાતા પહેલા હંમેશા તમારા હાથ સાબુથી સારી રીતે ધોવા
- કાચો અને રાંધેલો ખોરાક અલગ રાખો: ક્રોસ-કન્ટેમિનેશન ટાળવા માટે અલગ વાસણોનો ઉપયોગ હિતાવહ છે
- ખોરાકને યોગ્ય તાપમાને રાંધો: ખોરાક બેક્ટેરિયા મુક્ત રહે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય તાપમાને રાંધો
- વિશ્વસનીય ખોરાક ખરીદો: પેકેજ્ડ ઉત્પાદનો ખરીદતી વખતે હંમેશા FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) લોગો અને બનાવટ અને એક્સપાયરી તારીખ તપાસો
આ પણ વાંચો - PM Modi ની વૈશ્વિક સફરની અનોખી કહાની, 99 વિદેશ પ્રવાસ અને 19 સંસદોને સંબોધન