વિશ્વ સંસ્કૃત સંમેલન : નેપાળમાં અક્ષરપુરુષોત્તમ દર્શન પર વિશિષ્ટ સત્ર
- નેપાળના કાઠમાંડૂ ખાતે વિશ્વ સંસ્કૃત સંમેલન શરૂ થયું
- દર ત્રણ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે સંમેલન
- મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સત્રની અધ્યક્ષતા કરી
વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સત્રમાં હાજર રહેલા મુખ્ય વિદ્વાનો નીચે મુજબ છે:
૧. શ્રી કાશીનાથ ન્યોપાને (નેપાળના સંસ્કૃત વિદ્વાન અને સંમેલનના રાષ્ટ્રીય સંયોજક)
૨. પ્રો. શ્રીનિવાસ વરખેડી (કુલપતિ, કેન્દ્રિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દિલ્હી)
૩. પ્રો. મુરલીમનોહર પાઠક (કુલપતિ, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી)
૪. પ્રો. ગુલ્લપલ્લી શ્રીરામકૃષ્ણમૂર્તિ (કુલપતિ, તિરુપતિ કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી)
૫. પ્રો. ભાગ્યેશ ઝા (વિશિષ્ટ સંસ્કૃતવિદ્ અને પૂર્વ IAS)
૬. પ્રો. સુકાંત સેનાપતિ (કુલપતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગુજરાત)
૭. પ્રો. રાણિ સદાશિવ મૂર્તિ (કુલપતિ, તિરુપતિ વૈદિક યુનિવર્સિટી)
૮. પ્રો. હરેરામ ત્રિપાઠી (કુલપતિ, કવિકુલગુરુ કાલિદાસ યુનિવર્સિટી, નાગપુર)
૯. પ્રો. રામસેવક દુબે (કુલપતિ, જગદગુરુ રામાનંદાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટી, રાજસ્થાન)
૧૦. પ્રો. વિજયકુમાર સી.જી. (કુલપતિ, મહર્ષિ પાણિનિ સંસ્કૃત તથા વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈન)
૧૧. પ્રો. રામનારાયણ દ્વિવેદી (મહામંત્રી, કાશી વિદ્વત્ પરિષદ)
૧૨. ડો. સચ્ચિદાનંદ મિશ્ર (Member Secretary, Indian Council for Philosophical Research)
આ સત્રની વિશેષતા એ હતી કે નેપાળમાં પ્રથમ વખત વિદ્વદ્વર્ગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરપુરુષોત્તમ દર્શન અંગે ચર્ચા થઈ રહી હતી. તેથી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે વિડિઓ સંદેશ દ્વારા આશીર્વાદ આપ્યા અને સમગ્ર સંમેલનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી.
આ સત્રમાં નેપાળના પ્રસિદ્ધ વિદ્વાન અને વિશ્વ સંસ્કૃત સંમેલનના રાષ્ટ્રીય સંયોજક શ્રી કાશીનાથ ન્યોપાનેએ એક વિશિષ્ટ ઘોષણા કરતા કહ્યું કે, આજે નેપાળમાં અમે અક્ષરપુરુષોત્તમ દર્શનનું સ્વાગત, સન્માન અને સ્થાપન કરીએ છીએ. વિશ્વ સંસ્કૃત સંમેલનમાં વેદાંત દર્શનના એક વિશિષ્ટ ઉત્સવ તરીકે આ સત્ર સમ્પન્ન થયું.