શરીરની ફ્લેક્સિબિલિટી વધવાની સાથે માનસિક શાંતિ પણ મળે
યોગ કરનાર મહિલાઓએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, પાણીમાં યોગ કરવાથી શરીરને અનેકગણા ફાયદા મળે છે. જે આસનો જમીન પર કરવામાં મુશ્કેલી પડતી હોય છે, તે પાણીમાં તેના ફ્લોટિંગ અને સપોર્ટના કારણે ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આ પ્રકારના યોગથી શરીરની ફ્લેક્સિબિલિટી વધવાની સાથે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.
રાજકોટમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ યોગ કર્યા
ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યોગ દિવસની ઉજવણીની સાથે તેમણે સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર પણ આપ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સિંચાઈ વિભાગ દ્વારા નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયના પગલે હવે સૌની યોજના હેઠળ પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી એક-બે દિવસમાં સૌરાષ્ટ્રના તમામ ડેમમાં આ પાણી પહોંચી જશે, જેનાથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યામાં મોટી રાહત મળશે. આમ, રાજકોટમાં એક તરફ તંદુરસ્ત જીવન માટે યોગનો સંદેશ ફેલાયો, તો બીજી તરફ પાણીની સમસ્યા નિવારવા સરકારના સક્રિય પ્રયાસોની જાહેરાત થતા નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પણ વાંચો : World Yoga Day 2026 : અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યા યોગ