ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Yong Ching Temple : ચીનમાં 1500 વર્ષ જૂના મંદિરમાં ભયાનક આગ, સદીઓ જૂનો પેવિલિયન ભસ્મીભૂત

ચીનના 1500 વર્ષ જૂના Yong Ching Temple મંદિરમાં આગ : ચીનના જિયાંગસુ પ્રાંતના ઝાંગજિયાગાંગ વિસ્તારમાં 12 નવેમ્બર 2025ના રોજ 1500 વર્ષ જૂના યોંગચિંગ મંદિરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ સવારે આશરે 11:24 વાગ્યે ભભૂકી હતી અને તરત જ મંદિરના પ્રખ્યાત વેનચાંગ પેવિલિયનને તેની ચપેટમાં લઈ લીધો. આ ઇમારત મંદિરના પરિસરમાં આવેલી બહુમાળાની લાકડાની રચના હતી, જે પ્રાચીન શૈલીમાં બનાવવામાં આવી હતી.
11:40 PM Nov 13, 2025 IST | Mujahid Tunvar
ચીનના 1500 વર્ષ જૂના Yong Ching Temple મંદિરમાં આગ : ચીનના જિયાંગસુ પ્રાંતના ઝાંગજિયાગાંગ વિસ્તારમાં 12 નવેમ્બર 2025ના રોજ 1500 વર્ષ જૂના યોંગચિંગ મંદિરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ સવારે આશરે 11:24 વાગ્યે ભભૂકી હતી અને તરત જ મંદિરના પ્રખ્યાત વેનચાંગ પેવિલિયનને તેની ચપેટમાં લઈ લીધો. આ ઇમારત મંદિરના પરિસરમાં આવેલી બહુમાળાની લાકડાની રચના હતી, જે પ્રાચીન શૈલીમાં બનાવવામાં આવી હતી.

ચીનના 1500 વર્ષ જૂના Yong Ching Temple મંદિરમાં આગ : ચીનના જિયાંગસુ પ્રાંતના ઝાંગજિયાગાંગ વિસ્તારમાં 12 નવેમ્બર 2025ના રોજ 1500 વર્ષ જૂના યોંગચિંગ મંદિરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ સવારે આશરે 11:24 વાગ્યે ભભૂકી હતી અને તરત જ મંદિરના પ્રખ્યાત વેનચાંગ પેવિલિયનને તેની ચપેટમાં લઈ લીધો. આ ઇમારત મંદિરના પરિસરમાં આવેલી બહુમાળાની લાકડાની રચના હતી, જે પ્રાચીન શૈલીમાં બનાવવામાં આવી હતી.

સાક્ષીઓ અનુસાર, આગ એટલી તીવ્ર હતી કે ધુમાડો અને તેની જ્વાળાઓ દૂરથી જ દેખાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો ઝડપથી વાયરલ થયા, જેમાં આખો માળખો આગની લપટોમાં ઘેરાઈ ગયો દેખાઈ રહ્યો છે.

ફાયર બ્રિગેડે બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવ્યો

સ્થાનિક વહીવટીએ જણાવ્યું કે ફાયરમેનોએ તરત જ સ્થળ પર પહોંચીને આગને નિયંત્રણમાં લીધી હતી. બપોર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ અને સારી વાત તે રહી કે, આટલી મોટી દૂર્ઘટના છતાં પણ જીવહાનિ થઈ નહોતી. પરંતુ આગએ વેનચાંગ મંદિરને સંપૂર્ણ રીતે બળીને ખાખ કરી નાંખ્યું હતું, જોકે, મંદિરની મુખ્ય રચનાઓ જે છઠ્ઠી સદી (536 ઈ.સ.)માં દક્ષિણી રાજવંશના સમયની છે, તે સુરક્ષિત બચી ગઈ હતી.

યોંગચિંગ મંદિર તેની બૌદ્ધ પરંપરા, લાકડાની કોતરણી અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. આ મંદિર સદીઓથી ભક્તો અને પર્યટકોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

પુનઃનિર્માણમાં લાગશે લાંબો સમય

અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. નિષ્ણાતો વીજળીના ખરાબ તાર, ધૂપ-દીવાના ઉપયોગ કે જૂની લાકડાની રચનામાં ખામી જેવા કારણોની તપાસ કરી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ એક મુલાકાતીના ધૂપ-મીઠીબત્તીના દૂરપયોગથી થઈ હોવાનું મનાય છે. પુનઃનિર્માણનું કામ લાંબું ચાલશે, પરંતુ સરકાર અને વારસા સંરક્ષણ વિભાગે વચન આપ્યું છે કે મંદિરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને જાળવીને તેને ફરીથી તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો- અલ-ફલાહ યુનિવર્સિટીની સભ્યતા AIU એ કરી રદ્દ, NAACએ પણ ફટકારી નોટિસ

Tags :
Buddhist TempleFirein ChinaHistorical HeritageJiangsuWenchang PavilionYong qing TempleZhangjia gang
Next Article