ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના Chandkheda ના યુવકની હત્યા, થરાદની મુખ્ય કેનાલમાં મળ્યો મૃતદેહ

અમદાવાદ Chandkheda ના એક આધેડની હત્યા કરીને તેના મૃતદેહને બનાસકાંઠા જિલ્લાના થરાદની એક કેનાલમાં નાંખી દેવામાં આવ્યું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. મૃતક વ્યક્તિએ એએમસીના સ્લમ રી-ડેવલપમેન્ટ હેઠળ મળતા ઘરો અને દુકાનોમાં થઈ રહેલા કૌભાંડોને ઉજાગર કર્યા હતા. આ અંગેની અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, તો જાણો કાળા કારોબાર ચકચાર હત્યા વિશે
09:53 PM Oct 14, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદ Chandkheda ના એક આધેડની હત્યા કરીને તેના મૃતદેહને બનાસકાંઠા જિલ્લાના થરાદની એક કેનાલમાં નાંખી દેવામાં આવ્યું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. મૃતક વ્યક્તિએ એએમસીના સ્લમ રી-ડેવલપમેન્ટ હેઠળ મળતા ઘરો અને દુકાનોમાં થઈ રહેલા કૌભાંડોને ઉજાગર કર્યા હતા. આ અંગેની અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, તો જાણો કાળા કારોબાર ચકચાર હત્યા વિશે

થરાદ :  વાવ-થરાદ જિલ્લાના વિસ્તારમાં એક ભયાનક હત્યા કેસ સામે આવ્યો છે, જેમાં અમદાવાદના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં રહેતા વ્યક્તિ રસિકભાઈ પરમારનો મૃતદેહ થરાદ નજીક મુખ્ય કેનાલમાંથી મળ્યો છે. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે તેમને ગળે ટૂંપો આપીને હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકવામાં આવ્યો હતો. આ હત્યા AMC સ્લમ રી-ડેવલપમેન્ટ 2013 યોજનાના મકાનો અને દુકાનોના ડ્રોમાં બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવીને કરવામાં આવેલા બોગસ કાંડ સાથે જોડાયેલી હોવાની માહિતી સામે આવી રહી છે. મૃતક રસિકભાઈએ આ કાંડની રજૂઆત AMC કોર્પોરેશન, કલેક્ટર અમદાવાદ અને મુખ્યમંત્રી કાર્યાલયને કરી હતી, જેના કારણે આરોપીઓએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે.

ગળા પર ટૂંપો આપ્યાના નિશાન

મળી રહેલી માહિતી અનુસાર ગઈકાલે 13 ઓક્ટોબરે થરાદ નજીક મુખ્ય કેનાલમાંથી અજ્ઞાત મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ રસિકભાઈ પરમાર (ઉં. 45) તરીકે થઈ. મૃતદેહને પીએમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબી તપાસમાં ગળા પર ટૂંપો આપ્યાના નિશાન અને અન્ય ઈજાઓ જોવા મળી, જે હત્યાની તપાસ ઈશારો કરી રહી હતી.

આ પણ વાંચો- AAP પર વરસ્યા બાપુ કરશનદાસ ભાદરકા : બોટાદ ઘર્ષણ મુદ્દે આકરા પ્રહાર, કહ્યું- ‘ખેડૂતોને હાથિયાર બનાવવા દેશદ્રોહ’

મૃતકે કરી હતી AMC બોગસ કાંડની રજૂઆત

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રસિકભાઈ પરમાર ચાંદખેડા વિસ્તારમાં રહેતા હતા. તેઓ AMCની સ્લમ રી-ડેવલપમેન્ટ 2013 યોજના હેઠળ મકાનો અને દુકાનોના ડ્રોમાં લાભાર્થીઓના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવીને કરવામાં આવેલા મોટા બોગસ કાંડની રજૂઆત કરીને તપાસની માંગ કરી હતી. આ કાંડમાં કરોડો રૂપિયાનો ઘપ્લો થયાનું જાણવા મળ્યું છે, જેમાં લાભાર્થીઓના ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.

હત્યામાં Chandkheda ના બે યુવકોના નામ ખુલ્યા

પોલીસ તપાસમાં મુખ્ય આરોપી તરીકે ચાંદખેડા વિસ્તારમાં રહેતા રાજુ કરાટે અને કમલેશ સોલંકીના નામ સામે આવ્યા છે, જેઓ આ બોગસ કાંડમાં મુખ્ય ભાગીદારો છે. મૃતકના પરિવારજનોએ આરોપો લગાવીને થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે હત્યા (IPC 302) અને સામગ્રી નાશ (IPC 201) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને તેમના મોબાઈલ લોકેશન, CCTV ફૂટેજ અને અન્ય પુરાવા એકઠા કરી રહી છે.

ભ્રષ્ટાચાર ઉજાગર કરવા બદલ મોત

આ કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્લમ રી-ડેવલપમેન્ટ યોજનાઓમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. 2013ની આ યોજના હેઠળ ગરીબ વસ્તી માટે મકાનો અને દુકાનોના લોટરી ડ્રો યોજાતા હતા, પરંતુ તેમાં બોગસ ડોક્યુમેન્ટ્સ દ્વારા વાસ્તવિક લાભાર્થીઓને વંચિત કરીને અન્યને લાભ આપવામાં આવતો હતો. રસિકભાઈએ આ કાંડની ફરિયાદ કરીને તપાસની માંગ કરી હતી, જેના કારણે તેમના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

તાજેતરમાં ગુજરાતમાં આવા ભ્રષ્ટાચારના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેમાં વિભાગીય અધિકારીઓ અને મધ્યસ્થીઓની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં વધુ આરોપીઓ સામે આવી શકે છે. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને પોલીસને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો- Botad ઘર્ષણ પછી AAP MLA ઈટાલીયાનો પ્રહાર : “સભામાં સ્થાનિકો નહોતા તો પોલીસે કેમ સ્થાનિક લોકો પર હુમલો કર્યો?”

Tags :
#AMCSlumScheme#FakeScam#GujaratBreaking#RasikBhaiParmarChandkhedaGujaratFirstMurder
Next Article