Ahmedabad માં 149મી રથયાત્રાનો થનગનાટ, મામેરાના યજમાન માટે ભાગ્યશાળી પરિવારની જાહેરાત
- Ahmedabad માં 149મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ
- સરસપુરમાં ભગવાનના મામેરા માટે લકી ડ્રો યોજાયો
- મેમનગરના દવે પરિવારને મળ્યું મામા બનવાનું સૌભાગ્ય
- 7 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પરિવારમાં છવાઈ ખુશી
- વાજતે ગાજતે સરસપુરમાં ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે
- રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અત્યારથી અનેરો ઉત્સાહ
Ahmedabad: નગરચર્યાએ નીકળનારા ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા (Ahmedabad Rath Yatra) ને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મોસાળ એવા સરસપુરમાં અત્યારથી જ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા દરમિયાન ભગવાનનું મામેરું (Lord Jagannath Mamoru) ભરવા માટે સેંકડો શ્રદ્ધાળુઓ વર્ષો સુધી રાહ જોતા હોય છે. આ પવિત્ર અવસરના યજમાન નક્કી કરવા માટે તાજેતરમાં સરસપુરના રણછોડરાય મંદિરમાં ડ્રો (Lucky Draw for Mamoru) યોજવામાં આવ્યો હતો.
Ahmedabad: મંદિરમાં ગુંજી ઉઠ્યા 'જય રણછોડ' ના નાદ
આ ડ્રોમાં મેમનગર વિસ્તારના રહેવાસી તેજસભાઈ દવે (Tejas Dave) ના પરિવારનું નામ ખુલતા જ સમગ્ર મંદિર પરિસરમાં 'જય રણછોડ' ના નાદ ગુંજી ઉઠ્યા હતા. દવે પરિવાર છેલ્લા 7 વર્ષથી ભગવાનના મામા (Maternal Uncle of God) બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. આ વર્ષે 149મી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનું ભવ્ય મામેરું કરવાનો લ્હાવો આ પરિવારને ફાળે ગયો છે.
આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી
સરસપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. મામેરાના યજમાન બનવા માટે અનેક પરિવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી દવે પરિવાર ભાગ્યશાળી સાબિત થયો છે. હવે આગામી રથયાત્રામાં વાજતે-ગાજતે અને ભક્તિભાવ પૂર્વક ભગવાનનું મામેરું સરસપુરમાં લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની રથયાત્રામાં સરસપુરનું મામેરું સૌથી મુખ્ય આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર હોય છે. શ્રદ્ધાળુઓમાં અત્યારથી જ ઉત્સવની તૈયારીઓ અને ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો; Toxic Postponed : યશની ફિલ્મની રિલીઝ ફરી અટકી, ડિરેક્ટરો મજાક બન્યા !


