Punjabમાં જે મંત્રાલય જ નથી તેના 20 મહિનાથી મંત્રી રહ્યા કુલદીપ સિંહ ધાલીવાલ, હવે જાગી પંજાબ સરકાર
- જે વિભાગ જ નથી તેના મંત્રી બન્યા રહ્યા કુલદીપ સિંહ ધાલીવાલ
- ભગવંત માન સરકારની ઊંઘ હરામ થઈ
- ગેઝેટ નોટિફિકેશનમાં આ હકીકત સામે આવી
PunjabGovernment : પંજાબ સરકારમાં એક અલગ પ્રકારની ગડબડ સામે આવી છે. કુલદીપ સિંહ ધાલીવાલ વહીવટી સુધારા વિભાગના મંત્રી હતા, પરંતુ વાસ્તવમાં આવો કોઈ વિભાગ છે જ નહીં. મતલબ કે, ધાલીવાલને કોઈ પણ વિભાગ વિના જ મંત્રી બનાવવામાં આવ્યા. જો કે ધાલીવાલ NRI બાબતોના વિભાગનો હવાલો પણ સંભાળી રહ્યાં છે.
ભગવંત માન સરકારની ઊંઘ હરામ થઈ
દિલ્હીમાં AAP સરકાર ગયા બાદ પંજાબ સરકારની ખામીઓ પણ સામે આવવા લાગી છે. ભગવંત માન સરકારમાં કુલદીપ સિંહ ધાલીવાલ એવા મંત્રાલયના મંત્રી બન્યા જેનું અસ્તિત્વ જ નહોતું. તે ફક્ત કાગળ પર જ અસ્તિત્વમાં હતું, તે વિભાગમાં ન તો કોઈ સ્ટાફ હતો કે ન તો કોઈ કામ. હવે 20 મહિના પછી ભગવંત માન સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે, જ્યારે સરકારે આ ખુલાસો કર્યો છે.
વિભાગ ફક્ત કાગળ પર જ અસ્તિત્વમાં હતો?
પંજાબની 'AAP' સરકારે પોતાના માટે એક નવી સમસ્યા ઊભી કરી છે. આ મામલો NRI બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ સાથે સંબંધિત છે. મંત્રી લગભગ 20 મહિનાથી એક વિભાગનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે અને તેમની પાસે સ્ટાફની કોઈ ફાળવણી નથી. શુક્રવારે મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનમાં આ હકીકત સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ધાલીવાલને ફાળવવામાં આવેલ વહીવટી સુધારણા વિભાગ અસ્તિત્વમાં નથી. હવે ધાલીવાલ માત્ર NRI બાબતોના વિભાગનો જ હવાલો સંભાળશે.
આ પણ વાંચો : હવેથી આ રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો; શું આ નિયમ દારૂની દુકાનો પર પણ લાગૂ થશે?
શું છે સરકારી નોટિફિકેશનમાં
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, મંત્રીઓમાં વિભાગોની ફાળવણી અંગે પંજાબ સરકારના અગાઉના જાહેરનામામાં આંશિક ફેરફાર કરીને, ધાલીવાલને અગાઉ ફાળવવામાં આવેલ વહીવટી સુધારા વિભાગ આજની તારીખે અસ્તિત્વમાં નથી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આદેશ પર ધાલીવાલના પોર્ટફોલિયોમાં સુધારો કરવાનો નિર્ણય 7 ફેબ્રુઆરી, 2025થી લાગુ થશે. મે 2023 માં મંત્રીમંડળમાં થયેલા ફેરબદલમાં તેમને વહીવટી સુધારાનો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2024 માં બીજા કેબિનેટ ફેરબદલમાં, ધાલીવાલને અસ્તિત્વમાં ન હોય તેવું પોર્ટફોલિયો આપવામાં આવ્યું હતું.
ભાજપે ઘેરાવ કર્યો
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ AAPના વડા અરવિંદ કેજરીવાલને દંભી ગણાવ્યા છે. તેમણે X પોસ્ટમાં લખ્યું કે, જો પંજાબ સરકારને એ સમજવામાં લગભગ 20 મહિના લાગ્યા કે તેના મુખ્ય મંત્રીઓમાંના એકને સોંપાયેલ વિભાગ ખરેખર અસ્તિત્વમાં નથી, તો તેની તકલીફની કલ્પના તમે કરી શકો છો. અરવિંદ કેજરીવાલ એક દંભી છે જેને જાહેર જીવનમાંથી કાઢી મૂકવો જોઈએ.
You can imagine the crisis in Punjab government if it took nearly 20 months to realise that a department assigned to one of its prominent ministers never actually existed.
Arvind Kejriwal is a charlatan who must be banished from public life. https://t.co/DbP0XlWbNx
— Amit Malviya (@amitmalviya) February 22, 2025
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના મેરઠમાં રાતો રાત જહાંગીર મસ્જિદ તોડી પડાઇ, રાત્રે JCB લઇને તંત્રએ કરી કાર્યવાહી