Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RSSએ મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવાની પ્રેરણા આપી; PM મોદીએ કહી આ 3 મોટી વાતો

PM મોદીએ RSS વિશે ઘણી મોટી વાતો કહી છે. તેમણે કહ્યું કે RSS એ મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવા માટે પ્રેરણા આપી છે. 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું તે અહેવાલમાં વાંચો.
rssએ મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવાની પ્રેરણા આપી  pm મોદીએ કહી આ 3 મોટી વાતો
Advertisement
  • PM મોદીએ RSS વિશે ઘણી મોટી વાતો કહી
  • RSSનું બીજ 100 વર્ષ પહેલાં રોપ્યુ હતું
  • RSSના કારણે મરાઠી સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું

PM Modi on RSS: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), જેનું બીજ 100 વર્ષ પહેલાં રોપ્યુ હતું, તે આજે એક વડના વૃક્ષમાં વિકસ્યું છે, જે ભારતની મહાન સંસ્કૃતિને નવી પેઢી સુધી લઈ જાય છે અને તે તેમનું સૌભાગ્ય છે કે આ સંગઠને તેમના જેવા લાખો લોકોને દેશ માટે જીવવા માટે પ્રેરણા આપી છે.

RSSના કારણે મરાઠી સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું

રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે મરાઠી ભાષા અમૃત કરતાં પણ મીઠી છે અને તેઓ આ ભાષા બોલવાનો અને તેના નવા શબ્દો શીખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે RSS ના કારણે જ તેમને મરાઠી ભાષા અને મરાઠી પરંપરા સાથે જોડાવાની તક મળી.

Advertisement

Advertisement

આ પણ વાંચો :  Mahakumbhની ભીડે બોર્ડની પરીક્ષાઓ અટકાવી, પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ યોજાનારી પરીક્ષા હવે 9મી માર્ચે

100 વર્ષ પહેલાં એક મરાઠી ભાષી મહાપુરુષે RSS ના બીજ વાવ્યા

વડાપ્રધાને કહ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થયા છે, જ્યારે અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિનું 300મું વર્ષ છે અને તાજેતરમાં બાબા સાહેબ આંબેડકરના પ્રયાસોથી બનેલા દેશના બંધારણને પણ 75 વર્ષ પૂર્ણ થયા છે. તેમણે કહ્યું, 'આજે આપણને એ વાત પર પણ ગર્વ થશે કે મહારાષ્ટ્રની ધરતી પર 100 વર્ષ પહેલાં એક મરાઠી ભાષી મહાપુરુષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બીજ વાવ્યું હતું. આજે તે વડના વૃક્ષના રૂપમાં તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે.

સંઘે મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવા માટે પ્રેરણા આપી

તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી યજ્ઞ ચલાવી રહ્યું છે, જે વેદથી લઈને વિવેકાનંદ સુધીની ભારતની મહાન પરંપરા અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાની વિધિ છે. હું ભાગ્યશાળી છું કે RSSએ મારા જેવા લાખો લોકોને દેશ માટે જીવવાની પ્રેરણા આપી છે. સંઘના કારણે જ મને મરાઠી ભાષા અને મરાઠી પરંપરા સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું છે.

પોતાના સંબોધન દરમિયાન, પ્રધાનમંત્રીએ તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશ અને દુનિયાના 12 કરોડ મરાઠી ભાષી લોકો દાયકાઓથી આની રાહ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, 'મને આ કાર્ય પૂર્ણ કરવાની તક મળી.' હું આને મારા જીવનનું મોટું સૌભાગ્ય માનું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન એ કોઈ એક ભાષા કે રાજ્ય પૂરતું મર્યાદિત કાર્યક્રમ નથી; મરાઠી સાહિત્યના આ સંમેલનમાં સ્વતંત્રતા સંગ્રામની સુગંધ છે. તેમણે કહ્યું કે તેમાં મહારાષ્ટ્ર અને રાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો સમાયેલ છે.

આ પણ વાંચો : MP : 'સર, તમારી સાથે એક ફોટો...', CM મોહન યાદવે વિદ્યાર્થીઓ સાથે દિલ ખોલીને વાત કરી

Tags :
Advertisement

.

×