Uttarayan 2026: ગુજરાતમાં ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)ના તહેવાર પર બજારોમાં વિવિધ પ્રકારની ચિક્કી જોવા મળી રહી છે. આ વખતે વેપારીઓએ અંદાજે 35થી વધુ પ્રકારની ચિક્કી તૈયાર કરી છે, જે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. જેમાં પરંપરાગતથી લઈને આધુનિક ફ્લેવર્સ સુધીની વિવિધતા ઉપલબ્ધ છે,
- ઉત્તરાયણ પૂર્વે બજારમાં વિવિધ પ્રકારની ચિક્કી જોવા મળી
- અલગ-અલગ અંદાજિત 35 વધુ પ્રકારની ચિક્કી ઉપલબ્ધ
- ઉત્તરાયણના તહેવારના દિવસે મોટા પ્રમાણ ચિક્કી થાય છે વેચાણ
- ગત વર્ષ સરખામણી ચિક્કીના વ્યવસાયમાં મંદીનો માહોલ
- છેલ્લા એક સપ્તાહમાં ગ્રાહકનો ઘસારો જોવા મળે તેવી આશા
Uttarayan 2026: ગુજરાતમાં ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)ના તહેવાર પર બજારોમાં વિવિધ પ્રકારની ચિક્કી જોવા મળી રહી છે. આ વખતે વેપારીઓએ અંદાજે 35થી વધુ પ્રકારની ચિક્કી તૈયાર કરી છે, જે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. પરંપરાગતથી લઈને આધુનિક ફ્લેવર્સ સુધીની વિવિધતા ઉપલબ્ધ છે, જેમ કે સિંગ (પીનટ) ચિક્કી, માવા ચિક્કી, સેન્ડવીચ ચિક્કી, મનમોજી ચિક્કી, દાળિયા ચિક્કી, ચોકલેટ ચિક્કી, તલ ચિક્કી અને કોપરા ચિક્કી વગેરે.
![uttrayan-chikki-Gujarat first1]()
ચિક્કીની વિવિધતાએ ગુજરાતીઓને લલચાવ્યા
ભાવની વાત કરીએ તો આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ચિક્કીના ભાવમાં કોઈ વધારો નથી થયો, જે ગ્રાહકો માટે રાહતની વાત છે. કેટલાક મુખ્ય પ્રકારોના ભાવ આ પ્રમાણે છે:
સિંગ ચિક્કી: 200 રૂ. પ્રતિ કિલો
માવા ચિક્કી: 240 રૂ.
તલ ચિક્કી: 220 રૂ.
મનમોજી ચિક્કી: 260 રૂ.
દાળિયા ચિક્કી: 200 રૂ.
કોપરા ચિક્કી: 300 રૂ.
ચોકલેટ ચિક્કી: 280 રૂ.
સેન્ડવીચ ચિક્કી: 320 રૂ.
બજારમાં મંદીનો માહોલ
ઉત્તરાયણના દિવસે ચિક્કીનું મોટા પ્રમાણમાં વેચાણ અને આરોગ્ય થાય છે, કારણ કે તે તલ, શેરડીની ગોળ અને ડ્રાયફ્રુટ્સથી બનેલી હોય છે અને શીતઋતુમાં ઊર્જા આપે છે. પરંતુ આ વખતે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની તુલનાએ વેપારીઓને ચિક્કીના વ્યવસાયમાં ઘટાડો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ગ્રાહકોનો ઘસારો ઓછો જોવા મળ્યો છે, પરંતુ તહેવારના દિવસે વેચાણ વધવાની આશા વેપારીઓને છે.
![uttrayan-chikki-Gujarat first1]()
વેપારીઓને આજના દિવસે વેચાણમાં સુધારો થવાની આશા
ગત વર્ષ સરખામણી ચિક્કીના વ્યવસાયમાં મંદીનો માહોલ છે છતાં ચિક્કીની વિવિધતા અને સ્વાદિષ્ટતાએ બજારને રંગીન બનાવ્યું છે. ગુજરાતીઓ આ તહેવારે ચિક્કી સાથે ઊંધિયું, પૂરી અને પતંગબાજીનો આનંદ માણી રહ્યા છે. વેપારીઓને આશા છે કે આજના દિવસે વેચાણમાં સુધારો થશે અને ઉત્તરાયણનો ઉમંગ પૂરો થશે.
આ પણ વાંચો: Earthquake in Gujarat: મકરસંક્રાંતિ પર ગુજરાતમાં અહીં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો વિગતો