ભારતને ટેરિફ કિંગ ગણાવતું US કેમ થયું મહેરબાન? શું EU વાળી ડીલનું ટ્રમ્પને હતું ટેન્શન?
. EU સાથે 2 દાયકાની વાતચીત અંતે થઈ મધર ઓફ ઓલ ડીલ્સ
. ભારત માટે યૂરોપના 27 દેશોના વ્યાપાર માટેના દરવાજા ખુલ્યા
. EU સાથેની ડીલ બાદ ભારતનું પલડું ભારે થયું
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે 18 ટકા ટેરિફવાળી ડીલ થઈ ચુકી છે. આની સાથે જ ભારતને 50 ટકા શુલ્કમાંથી રાહત મળી ગઈ છે. જો કે બંને પક્ષોએ આ ડીલને લઈને વિસ્તારપૂર્વક જાણકારી આપી નથી.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટેલિફોનિક વાતચીત કરી, તેના પછી નવી સમજૂતીની ઘોષણા કરવામાં આવી. ખાસ વાત એ છે કે આની મોટી શરત છે કે ભારત રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી નહીં કરે.
આ પણ વાંચો : PM Modi Donald Trump Call : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથે ફોન પર કરી વાતચીત
હાલમાં આ ડીલ શું કામ થઈ?
એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયની પાછળ યૂરોપિયન યૂનિયનની સાથે થયેલી મધર ઓફ ઓલ ડીલનું દબાણ રહ્યું, જે ભારતે તાજેતરમાં 27 જાન્યુઆરીએ જ કરી છે. આ સમજૂતીને બ્રુસેલ્સે પણ ઐતિહાસિક ગણાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીલની પ્રશંસા કરી હતી. માનવામાં આવે છે કે આ ડીલ બાદ ભારતનું પલડું ભારે થઈ ગયું હતું અને અમેરિકાને આમા પાછળ રહી જવાનો ડર સતાવી રહ્યો હતો. જો કે આને લઈને સત્તાવાર કંઈ કહેવામાં આવ્યું નથી.
ભારત અને યૂરોપિયન યૂનિયનની વચ્ચે ગત મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર વાટાઘાટોના સમાપનની ઘોષણા થઈ હતી. તેને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવાય રહી છે. આ સકાર હેઠળ ભારતના 93 ટકા નિકાસને 27 દેશોવાળા યૂરોપિયન યૂનિયનમાં શુલ્ક-મુક્ત પહોંચ મળશે, જ્યારે યૂરોપિયન યૂનિયનથી લક્ઝરી કારો અને વાઈનની આયાત સસ્તી થઈ જશે.
લગભગ બે દાયકાઓથી ચાલી રહેલી વાતચીત બાદ આ સમજૂતીથી ભારત અને યૂરોપિયન યૂનિયનની વચ્ચે લગભગ 2 અબજ લોકોનું સંયુક્ત બજાર બનશે. ભારત દુનિયાની ચોથી સૌથી મોટી ઈકોનોમી છે, અને યૂરોપિયન યૂનિયન દુનિયાનું બીજું સૌથી મોટું ઈકોનોમિક યૂનિટ છે.
આ પણ વાંચો : India-US Trade Deal: PM મોદીએ પત્રકારોને કહ્યુ-થેન્ક યૂ, ભારત-અમેરિકા વ્યાપાર કરાર પર પહેલી પ્રતિક્રિયા
સંકેત કંઈ અને અસર કંઈક બીજી
રિપોર્ટ મુજબ, અમેરિકા માટે આ મામલો ઊર્જા અને ભૂરાજનીતિ સાથે જોડાયેલો છે. વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે ટેરિફમાં રાહતના તાર રશિયાની મહેસૂલને રોકવા સાથે જોડાયેલા છે. તો ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસેન્ટે તાજેતરમાં કહ્યુ હતુ કે ભારતની રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી સમાપ્ત થઈ ગઈ છે અને ટેરિફ હટાવવાનું સૂચન આપવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, એપીએ આ નિર્ણય પર સ્પષ્ટ શબ્દોમાં રણનીતિ બનાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યૂક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા પર દબાણ નાખવામાં આવે, જ્યાં ટ્રમ્પે વેનેઝુએલા જેવા વિકલ્પો તરફ પણ સંકેત કર્યો છે. હવે ઈરાનનો મામલો તૂલ પકડવાની સાથે જ આ દાંવ વધુ જરૂરી થઈ ગયો છે. કહેવામાં આવે છે કે મિડલ-ઈસ્ટમાં થોડીપણ હલચલ ખનીજતેલના બજારમાં કિંમતોમાં ખળભળાટ મચાવી શકે છે.
રાજકીય સ્વરૂપે જોવામાં આવે, તો ટ્રમ્પે દબાણ દ્વારા શાંતિની સ્થાપનાના મામલે પ્રશંસા મેળવી છે. તો પીએમ મોદીને ટેરિફથી રાહત મળી અને નિકાસ માટે માર્ગ મળ્યો. રિપોર્ટ મુજબ, ઊંડાણપૂર્વક જોવામાં આવે તો આના તાર રણનીતિક સપ્લાઈ ચેન સાથે જોડાયેલા છે. વોશિંગ્ટન ચાહે છે કે ભારત ચીનના વિકલ્પ તરીકે મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સ પાર્ટનર તરીકે ઉભું રહે. તો ભારત એ વાતના પુરાવા ચાહે છે કે અમેરિકા સાથે ઉભા રહેવાનો તેને ફાયદો મળશે.
આ પણ વાંચો : India-US Trade Deal: PM મોદીએ પત્રકારોને કહ્યુ-થેન્ક યૂ, ભારત-અમેરિકા વ્યાપાર કરાર પર પહેલી પ્રતિક્રિયા


