Ayodhya Saryu River Tragedy: અયોધ્યાની સરયૂ નદીમાં નહાવા ગયેલી 5 મહિલા તણાઈ, 3ના મૃતદેહ મળ્યા, 2 ગુમ
અયોધ્યાના રૌનાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વહેતી સરયૂ નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં સ્નાન કરવા ઉતરેલી 5 મહિલાઓ ડૂબી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને 3 મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં બાકીની 2 લાપતા કિશોરીઓને શોધવા માટે વહીવટી તંત્ર અને તરવૈયાઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Advertisement
Ayodhya Saryu River Tragedy: અયોધ્યાના રૌનાહી પોલીસ સ્ટેશન વિસ્તારના સનાહા ગામમાં એક કરુણ દુર્ઘટના ઘટી છે. સરયૂ નદીમાં સ્નાન કરવા ગયેલી પાંચ મહિલાઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 કિશોરીઓની શોધખોળ કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી.

