Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayodhya Saryu River Tragedy: અયોધ્યાની સરયૂ નદીમાં નહાવા ગયેલી 5 મહિલા તણાઈ, 3ના મૃતદેહ મળ્યા, 2 ગુમ

અયોધ્યાના રૌનાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વહેતી સરયૂ નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં સ્નાન કરવા ઉતરેલી 5 મહિલાઓ ડૂબી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને 3 મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં બાકીની 2 લાપતા કિશોરીઓને શોધવા માટે વહીવટી તંત્ર અને તરવૈયાઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ayodhya saryu river tragedy  અયોધ્યાની સરયૂ નદીમાં નહાવા ગયેલી 5 મહિલા તણાઈ  3ના મૃતદેહ મળ્યા  2 ગુમ
Advertisement

Ayodhya Saryu River Tragedy: અયોધ્યાના રૌનાહી પોલીસ સ્ટેશન વિસ્તારના સનાહા ગામમાં એક કરુણ દુર્ઘટના ઘટી છે. સરયૂ નદીમાં સ્નાન કરવા ગયેલી પાંચ મહિલાઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 કિશોરીઓની શોધખોળ કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી.

Tags :
Advertisement

.

×