Kashi Vishwanath Temple: કાશીવાસીઓ માટે ખુશખબર, વિશ્વનાથ મંદિરમાં હવે મળશે અલગ દર્શન માર્ગ, ભીડમાંથી મળશે મુક્તિ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીના નાગરિકોને મોટી ભેટ આપી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં હવે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આખો દિવસ અલગ પ્રવેશ માર્ગ ખુલ્લો રહેશે. આ નવી વ્યવસ્થાથી લાખો કાશીવાસીઓને દર્શન કરવામાં સરળતા રહેશે. મંદિર પ્રશાસને તહેવારોના દિવસો સિવાય સામાન્ય દિવસોમાં આ સુવિધાનો લાભ લેવા માટે જરૂરી સૂચનાઓ પણ જારી કરી દીધી છે.
Advertisement
Kashi Vishwanath Temple: 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા કાશીવિશ્વનાથ મંદિર અને વારાણસીના સ્થાનિકોને યોગી સરકારે ભેટ આપી છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના નિર્માણ બાદથી સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી એક વિશેષ વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના તાજેતરના વારાણસી પ્રવાસ દરમિયાન આ માંગને સ્વીકારીને કાશીવાસીઓને મોટી ભેટ આપી છે. હવે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશ માટે એક અલગ દર્શન માર્ગની કાયમી વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભીડભાડથી મુક્તિ અપાવશે.

