Kashi Vishwanath Temple firing: કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં ફાયરિંગ, સુરક્ષાકર્મીની બંદૂકમાંથી ગોળી છૂટતા 3 લોકો ઈજાગ્રસ્ત!
ધર્મનગરી વારાણસીના અત્યંત સુરક્ષિત ગણાતા શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. મંદિરના ગેટ નંબર 4B પર ફરજ પર તૈનાત PAC જવાનની સરકારી બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતા શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ગોળીના છરરા વાગવાથી 3 લોકો સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Advertisement
Kashi Vishwanath Temple firing: પ્રસિદ્ધ વારાણસીના અત્યંત સુરક્ષિત ગણાતા શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. મંદિરના ગેટ નંબર 4B પર તૈનાત PAC જવાનની સરકારી રાઈફલમાંથી અચાનક ગોળી છૂટતા ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈના જીવનું જોખમ સર્જાયું નથી, પરંતુ ગોળીના છરરા વાગવાથી 3 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

