Chaitar Vasava નો વધુ એક વિવાદ: ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટ બાદ મૃતકના પરિવાર સાથે બોલાચાલી અને ઘર્ષણ
- Chaitar Vasava એ કંપનીમાં મૃતકના પરિવાર સાથે લાફાવાળી કરતા હોવાના વિડીયો વાયરલ
- ઝઘડિયા ની કંપનીમાં થયેલા બ્લાસ્ટ મુદ્દે ચૈત્ર વસાવા પહોંચ્યા રજૂઆત કરવા
- ઝઘડિયા ની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભયંકર આગ લાગતા અનેક લોકો દાજ્યા હતા
- મૃતકોને સહાય આપવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચતા વિવાદ થયો હતો
- ટોળાને પહોંચી વળવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો
- મારામારીની પુનઃ ફરિયાદ થાય તો જુના જામીનો રદ થાય તો જેલમાં જવાની આવી શકે છે નોબત
Chaitar Vasava Jhagadiya Blast Controversy: ભરૂચ જિલ્લાના ઝઘડિયા (Jhagadiya) વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં થયેલા ગંભીર બ્લાસ્ટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ દુર્ઘટનામાં અનેક કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પડઘા રાજકીય ગલિયારાઓમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં ડેડિયાપાડા (Dediapada) ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) મૃતકોના પરિવારને ન્યાય અને યોગ્ય વળતર અપાવવાની માંગ સાથે કંપનીના ગેટ પર પહોંચ્યા હતા.
કંપનીમાં થયો મોટો વિવાદ
જોકે, રજૂઆતનો આ કાર્યક્રમ જોતજોતામાં વિવાદમાં ફેરવાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૈતર વસાવા (Chaitar Vasava) કંપનીના સંકુલમાં મૃતકના પરિવાર સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તેમણે હાથ ઉપાડ્યો હોય તેવો વીડિયોમાં દેખાય છે. આ ઘટના બાદ વાતાવરણ ગરમાયું હતું. કંપની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસ તંત્ર પણ સતર્ક થઈ ગયું હતું.
ભરૂચના ઝઘડિયામાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બબાલ
મૃતકના પરિવાર સાથે લાફાવાળી થઇ હોવાનો વીડિયો વાયરલ
ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટ થતા થયું હતું મૃત્યુ
ચૈતર વસાવાએ લાફો માર્યા બાદ સામેની વ્યક્તિએ પણ લાફો માર્યો
ધારાસભ્ય ચૈતર વસાવાને જાહેરમાં માર્યો લાફો
કંપની બહાર મોટી સંખ્યામાં… pic.twitter.com/lGvFvhBXGc— Gujarat First (@GujaratFirst) April 27, 2026
અફરાતફરીનો માહોલ
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઘટનાસ્થળે તાત્કાલિક અસરથી મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કંપની બહાર જમા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ચૈતર વસાવા ફરી જેલ જશે?
રાજકીય વર્તુળોમાં આ ઘટનાની ભારે ચર્ચા જાગી છે. ચૈતર વસાવા (Chaitar Vasava) પહેલેથી જ વિવિધ કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે. જો આ નવી ઘટનામાં તેમની સામે મારામારીની પુનઃ ફરિયાદ દાખલ કરવામાં આવે છે, તો તેમની મુશ્કેલીઓમાં મોટો વધારો થઈ શકે છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, જો આ કેસમાં ફરિયાદ નોંધાય, તો તેમના જૂના જામીન (Bail) રદ થવાની શક્યતા નકારી શકાય નહીં, જેના પરિણામે તેમને ફરી એકવાર જેલના સળિયા પાછળ જવાની નોબત આવી શકે છે. હાલ તો સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Narmada: "Chaitar Vasava ને મનસુખે નહીં પણ કોર્ટે તડીપાર કર્યો" MP Mansukh Vasava ના આકરા પ્રહાર


