Narmada: ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે
- ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) જોડાશે કોંગ્રેસમાં
- અગાઉ AAPમાંથી ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા
- થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી આપ્યું હતુ રાજીનામું
- દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં જોડાશે મહેશ વસાવા
- દાહોદના કંબોઈ ખાતે યાત્રાના સમાપન વખતે જોડાશે કોંગ્રેસમાં
- અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે મહેશ વસાવા
Narmada: ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારોમાં રાજકીય ઉથલપાથલના મોટા સમાચાર સામે આવ્યા છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખ્યાત આદિવાસી નેતા હેશ વસાવા ( Mahesh Vasava) કોંગ્રેસ પક્ષમાં જોડાશે. મહેશ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે અને તેઓ અગાઉ BTPના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) કોંગ્રેસમાં જોડાશે
તાજેતરમાં જ મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 2024માં BTP છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ માત્ર એક વર્ષમાં જ પાર્ટીની વિચારધારા અને કામકાજની શૈલીથી અસંતોષ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું. હવે તેઓ કોંગ્રેસના ખેસ ધારણ કરવા તૈયાર છે, જે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ માટે મોટો બૂસ્ટ માનવામાં આવે છે.મહેશ વસાવા કોંગ્રેસની ચાલુ 'જન આક્રોશ યાત્રા'માં જોડાશે. આ યાત્રાનો બીજો તબક્કો મધ્ય ગુજરાતમાં ચાલી રહ્યો છે અને તેનું સમાપન 6 જાન્યુઆરીએ દાહોદ જિલ્લાના કંબોઈ ધામ ખાતે થશે. કંબોઈ ખાતે યાત્રાના સમાપન સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં મહેશ વસાવા ઔપચારિક રીતે કોંગ્રેસમાં સામેલ થશે. આ યાત્રા ભાજપ સરકાર વિરુદ્ધ ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને આદિવાસીઓના મુદ્દાઓ ઉઠાવી રહી છે.
Narmada | ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં! | Gujarat First
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જોડાશે કોંગ્રેસમાં
અગાઉ AAPમાંથી ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા
થોડા સમય પહેલા મહેશ વસાવાએ ભાજપમાંથી આપ્યું હતુ… pic.twitter.com/ygNkdPxYPL— Gujarat First (@GujaratFirst) January 6, 2026
કોંગ્રેસને આદિવાસી થશે મોટો ફાયદો
મહેશ વસાવાનું કોંગ્રેસમાં આવવું ડેડીયાપાડા, નર્મદા, દાહોદ અને ભરૂચ જેવા આદિવાસી બહુલ વિસ્તારોમાં રાજકીય સમીકરણો બદલી નાખશે. અગાઉ તેઓ BTP થકી આ વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા હતા અને 2017માં ડેડીયાપાડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસને આશા છે કે મહેશ વસાવાના જોડાવાથી આદિવાસી મતોમાં મોટો ફાયદો થશે, ખાસ કરીને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને.આ ઘટના ગુજરાત રાજકારણમાં પક્ષપલટાની નવી શ્રેણીનો ભાગ છે અને આદિવાસી રાજકારણમાં કોંગ્રેસની તાકાત વધારશે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ પગલું ભાજપ માટે આદિવાસી પટ્ટામાં ઝટકો સાબિત થશે.
આ પણ વાંચો: Junagadh: "સનાતન ધર્મ અજેય છે! "મહેશગીરી બાપુએ PM મોદીના પ્રવાસ પર કહ્યું આ મોટું વાક્ય


