Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: ઘરેથી નીકળ્યો અને ખેતરમાં લટકતી હાલતમાં મળ્યો દેહ, માત્ર પાવાગઢ જવાની જીદમાં વેરવિખેર થયો પરિવાર!

Vadodara: સાવલી (Savli) તાલુકાના નટવરનગર ગામમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. સામાન્ય કૌટુંબિક અણબનાવમાં એક યુવાને પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર 24 વર્ષની વયના કૌશિકભાઈ કિશોરસિંહ છાસટીયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા એક હસતો-ખેલો પરિવાર વિખેરાઈ ગયો છે.
vadodara  ઘરેથી નીકળ્યો અને ખેતરમાં લટકતી હાલતમાં મળ્યો દેહ  માત્ર પાવાગઢ જવાની જીદમાં વેરવિખેર થયો પરિવાર
Advertisement
  • વડોદરા (Vadodara) ના સાવલી (Savli) તાલુકામાં યુવકે કર્યો આપઘાત
  • નટવરનગરના 24 વર્ષીય કૌશિકભાઈ છાસટીયાએ જીવન ટૂંકાવ્યું
  • પત્ની સાથે પાવાગઢ જવાના મુદ્દે મનદુઃખ બાદ ઘરેથી ગયો હતો
  • કૌશિકભાઈ ખેતરમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળ્યો
  • ભાદરવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
  • આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરાઈ

Vadodara: સાવલી (Savli) તાલુકાના નટવરનગર ગામમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. સામાન્ય કૌટુંબિક અણબનાવમાં એક યુવાને પોતાનું જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર 24 વર્ષની વયના કૌશિકભાઈ કિશોરસિંહ છાસટીયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા એક હસતો-ખેલો પરિવાર વિખેરાઈ ગયો છે.

vadodara sucide case- Gujarat first

Advertisement

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, નટવરનગરના રહેવાસી કૌશિકભાઈને તેમની પત્ની સાથે પાવાગઢ દર્શન કરવા જવાના મુદ્દે મનદુઃખ થયું ત્યારે પત્ની સાથે થયેલા આ મનદુઃખ બાદ કૌશિકભાઈ ગુસ્સામાં અને હતાશામાં ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોને અંદાજ પણ નહોતો કે સામાન્ય બાબતમાં થયેલી આ તકરાર આટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લેશે.ઘરેથી નીકળ્યા બાદ કૌશિકભાઈએ ગામમાં જ આવેલ ગણપતભાઈ કનુભાઈ વાઘેલાના ખેતરમાં જઈ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત સુધી યુવક ઘરે ન પરત ફરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ખેતરમાં તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

Advertisement

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ ભાદરવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પંચનામું કર્યું હતું અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

ગામમાં શોકનું મોજું

માત્ર 24 વર્ષના આશાસ્પદ યુવકે આવેગમાં આવીને લીધેલા આ પગલાને કારણે નટવરનગર ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. લોકોમાં ચર્ચા થઈ રહી છે કે નાની-નાની વાતોમાં ઉશ્કેરાટમાં આવીને લેવાયેલા આવા નિર્ણયો પાછળ રહી ગયેલા પરિવાર માટે આજીવનનું દુઃખ બની જાય છે.

આ પણ વાંચો:  Surat: ગજેરા ગ્રુપ પર ITના દરોડામાં આટલા કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા, શું 'પિક્ચર' હજુ બાકી છે?

Tags :
Advertisement

.

×