દોષ નિવારણ કરવાનું કહી સંચાલિકને છેતરપીંડીનો ભોગ બનાવી
મળતી માહિતી મુજબ પીડિત મહિલા હેતલબેન હિતેશ ચવણ જ્યારે પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે ત્રણ અજાણી મહિલાઓ બ્યુટી પાર્લર શોપમાં તેમની પાસે આવી હતી. આ ઠગ મહિલાઓએ હેતલબેનને જોગણી માતાના આશીર્વાદ હોવાનું અને તેમના પર નાગ-નાગિનનો દોષ હોવાનું જણાવીને ભરમાવ્યા હતા. અંધશ્રદ્ધાના જાળમાં ફસાવીને આ મહિલાઓએ દોષ નિવારણ માટે વિશેષ પૂજા (Rituals) કરવાનું નાટક રચ્યું હતું.
મંગળસૂત્ર સહિત રોકડ રકમ ખંખેરી લીધી
ઠગ મહિલાઓની મીઠી વાતોમાં આવી ગયેલા હેતલબેને પૂજા માટે તૈયારી દર્શાવતા જ આરોપીઓએ તકનો લાભ લઈને તેમના ગળામાં રહેલું દોઢથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર (Gold Mangalsutra) લઈ લીધું હતું. આટલું જ નહીં, પૂજાના બહાને તેમની પાસે રહેલી રોકડ રકમ પણ પડાવી લીધી હતી. પૂજા પૂર્ણ થયાનો ડોળ કરીને ત્રણેય મહિલાઓ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી.
CCTV ફૂટેજની તપાસ
હેલતલબેનને કહ્યું હું તેમની વાતોમાં આવી ગઈ. પછી મને કંઈ ખબર જ ન પડી. થોડીવાર બાદ જ્યારે ભાન આવ્યું ત્યારે સમજાયું કે છેતરપિંડીનો ભોગ બની છું. તેમણે તાત્કાલિક સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ત્રણેય મહિલાઓ લીલા, મરૂન અને રામા કલરની સાડી પહેરેલી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધીને વિસ્તારના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) તપાસવાની શરૂઆત કરી છે.
પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને આરોપી મહિલાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ, શહેરના નાગરિકોને આવી કોઈ પણ અંધશ્રદ્ધા કે અજાણી વ્યક્તિઓની વાતોમાં ન આવવા અને સાવધ રહેવા માટે પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat: લાઈવ શોના નામે કરોડોની ઠગાઈ, બોલીવુડ સેલિબ્રિટીઝ સાથે ફોટા પડાવી લોકોને કરતો પ્રભાવિત