Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara : Harshal Hospital ના ડોક્ટરની બેદરકારીથી યુવતીએ જીવ ગુમાવ્યાનો આરોપ

હર્ષલ હોસ્પિટલમાં દિવાળી પૂર્વે 16 વર્ષની કિશોરીને પેટમાં ગાંઠ હોવાના કારણે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું પાણીની ગાંઠનું ઓપરેશ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન કિશોરીના પેટમાં કપડું રહી ગયું હતું. જેથી ઓપરેશનના થોડાક સમય બાદ દિકરીને પેટમાં દુખાવાની સમસ્યા શરૂ થઇ હતી. આ દુખાવો સતત રહેતા પરિવારે બીજી ખાનગી હોસ્પિટલમાં નીદાન કરાવ્યું હતું.
vadodara   harshal hospital ના ડોક્ટરની બેદરકારીથી યુવતીએ જીવ ગુમાવ્યાનો આરોપ
Advertisement
  • Vadodara ની હર્ષલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી
  • પાણીની ગાંઠના ઓપરેશનમાં ડોક્ટર શરીરમાં કપડું ભુલી ગયા
  • ઓપરેશનના ત્રણ મહિના બાદ કપડું રહી ગયાનું નિદાન થયું
  • સારવાર દરમિયાન કિશોરીનું મોત થયા પરિવાર ગમગીન બન્યો

Vadodara : વડોદરાના વાઘોડિયામાં આવેલી હર્ષલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે યુવતિએ જીવ ગુમાવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. ડો. વિજયસિંહ રાજપૂતની હોસ્પિટલમાં 16 વર્ષિય કિશોરીના પેટમાં ગાંઠના ઓપરેશનમાં કપડું રહી ગયું હતું. જે બાદ ત્રણ મહિના સુધી યુવતિ પીડાતી રહી હતી. બાદમાં તેને મકરપુરા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં યુવતિના પેટમાં કોટનના ટુકડાનો ભાગ ઘૂસી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ડોક્ટરની બેદરકારી પ્રકાશમાં આવ્યા બાદથી તે ફરાર છે. પરિવારે બેજવાબદાર તબીબ વિરૂદ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Vadodara, સોનોગ્રાફીમાં તબીબની ભૂલ પકડાઇ

વડોદરાના (Vadodara) વાઘોડિયામાં ખાનગી હર્ષલ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દિવાળી પૂર્વે 16 વર્ષની કિશોરીને પેટમાં ગાંઠ હોવાના કારણે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું પાણીની ગાંઠનું ઓપરેશ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન કિશોરીના પેટમાં કપડું રહી ગયું હતું. જેથી ઓપરેશનના થોડાક સમય બાદ દિકરીને પેટમાં દુખાવાની સમસ્યા શરૂ થઇ હતી. આ દુખાવો સતત રહેતા પરિવારે બીજી ખાનગી હોસ્પિટલમાં તેને એડમિટ કરાવી હતી. પરીક્ષણ દરમિયાન સોનોગ્રાફીમાં પેટમાં કપડું રહી ગયું હોવાનું નિદાન થયું હતું. જે બાદ ડોક્ટરે પોતાની ભૂલ સ્વિકારી હતી, અને રૂ. 1.70 લાખ ચૂકવીને ફરી સર્જરી કરી હતી.

Advertisement

પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો

જો કે, તે બાદ પણ કિશોરીની હાલતમાં સુધારો થયો નહતો. અંતે સારવાર દરમિયાન કિશોરીનું મોત નીપજ્યું હતું. જે બાદ મૃતક કિશોરીના પરિવારે ડોક્ટર વિજયસિંહ રાજપૂત વિરૂદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે. જે બાદ મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજા કોઇની સાથે આ પ્રકારની ઘટના ના બને તે માટે પરિવારે સરકારને વિનંતી કરી છે. સાથે જ હર્ષિલ હોસ્પિટલને સીલ કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદથી આરોપી ડોક્ટર ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો ---------  Vadodara Airport પર King Kohli ને જોવા ભીડ ઉમટી, ODI પહેલા ખેલાડીઓનું આગમન

Tags :
Advertisement

.

×