Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara: પાદરામાં પિતાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી પિતાને પતાવી દીધા!

Vadodara ના પાદરામાં શનાભાઈ ચાવડાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં પિતા નડતરરૂપ બનતા હોવાથી સગી દીકરીએ જ પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવા પાસે પિતાની હત્યા કરાવી હતી. દીકરીએ માતા-પિતાને જમવામાં ઊંઘની ગોળીઓ આપી દીધી હતી અને પિતા ઊંઘતા હતા ત્યારે જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમની હત્યા કરવામાં આવી હતી.
vadodara  પાદરામાં પિતાની હત્યાનો ચોંકાવનારો ખુલાસો  સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી પિતાને પતાવી દીધા
Advertisement
  • Vadodara ના પાદરામાં હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો
  • શના ચાવડાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી
  • રણજીત વાઘેલા અને ભવ્ય વસાવાએ હત્યા કરી હોવાનું ખુલ્યું
  • શના ચાવડાની દીકરીએ જ પિતાની હત્યા કરાવી
  • પોતાના પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર પાસેથી હત્યા કરાવી
  • દીકરીએ હત્યા પહેલા માતાપિતાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી
  • ઊંઘમાં જ આરોપીઓએ શના ચાવડાની હત્યા કરી

Vadodara:સંસ્કારી નગરી વડોદરાના પાદરા (Padra) પંથકમાં તાજેતરમાં થયેલી શનાભાઈ ચાવડા (Shanabhai Chavda) નામના વ્યક્તિની હત્યા (Murder) એ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી. પોલીસ તપાસમાં જે તથ્યો સામે આવ્યા છે તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. પિતાની છત્રછાયામાં મોટી થયેલી દીકરી (Daughter) એ જ પોતાના પ્રેમ પ્રકરણ (love affair) માં પિતા (Father) અવરોધ બનતા હોવાથી તેમની નિર્મમ હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે હત્યારા પ્રેમી, તેના મિત્ર અને પુત્રીની ધરપકડ કરી છે.

Advertisement

Vadodara: શું હતી સમગ્ર ઘટના?

પાદરાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શનાભાઈ ચાવડાની તેમના જ ઘરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ મામલો લૂંટ કે અંગત અદાવતનો લાગતો હતો, પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે શંકાની સોય ઘરના સભ્યો તરફ જ ગઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છેક આ હત્યા પાછળ બીજું કોઈ નહીં પણ મૃતકની પોતાની દીકરી જ મુખ્ય સૂત્રધાર છે.

Advertisement

દીકરીનું ખતરનાક કાવતરું!

પ્રેમમાં આંધળી બનેલી દીકરીનું ખતરનાક કાવતરું તપાસમાં બહાર આવ્યું છે કે, શનાભાઈ ચાવડાની દીકરીને રણજીત વાઘેલા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પિતા આ સંબંધની વિરુદ્ધમાં હતા અને અવારનવાર દીકરીને રણજીતથી દૂર રહેવા સમજાવતા હતા. પિતા પ્રેમમાં નડતરરૂપ બનતા હોવાથી દીકરીએ તેમને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. તેણે પોતાના પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવા સાથે મળીને પિતાની હત્યાનું આખું પ્લાનિંગ કર્યું હતું.

ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી

આરોપ છે કે હત્યાના દિવસે દીકરીએ રાત્રિના ભોજનમાં પોતાના માતા અને પિતા બંનેને ઊંઘની ગોળીઓ ભેળવીને આપી દીધી હતી. માતા-પિતા ગાઢ નિદ્રામાં સરી પડ્યા બાદ દીકરીએ પ્રેમી રણજીત અને ભવ્યને ઘરે બોલાવી લીધા હતા. જ્યારે પિતા શનાભાઈ ચાવડા બેભાન અવસ્થામાં ઊંઘી રહ્યા હતા, ત્યારે આ બંને શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. દીકરીની હાજરીમાં જ પિતાની સોપારી આપી આ કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે રણજીત વાઘેલા અને ભવ્ય વસાવા સહિત દિકરીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ મહિનાથી ઘડાઈ રહ્યો હતો હત્યાનો પ્લાન!

પોલીસે જણાવ્યું કે દિકરીએ અગાઉ પણ માતા-પિતાની  હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જો કે તે સફળ રહી ન હતી.  વધુમાં કહ્યું કે શનાભાઈ ચાવડાની દિકરી હત્યાનો પ્લાન છેલ્લા ત્રણ મહિનાથી બનાવી રહી હતી.  જે બાદ તેણે પ્રેમી અને તેના મિત્ર સાથે મળી પિતાની હત્યાને અંજામ આપ્યો છે. જેથી હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Surat: શિવ રેસીડેન્સીનો સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ છતાં રહીશોમાં કેમ ભયમાં?, જાણો!

Tags :
Advertisement

.

×