ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : પેટનો દુ:ખાવો, હર્નીયા જેવા રોગો માટે કાન વિંધાવવાની અંધશ્રદ્ધા ભારે પડી શકે છે - ડો. રંજન ઐયર

Vadodara : ઘણી વખત ગામડાના લોકો ભુવાની સલાહ માનતા દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે - ડો. રંજન ઐયર
05:17 PM Sep 29, 2025 IST | PARTH PANDYA
Vadodara : ઘણી વખત ગામડાના લોકો ભુવાની સલાહ માનતા દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે - ડો. રંજન ઐયર

Vadodara : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલના (SSH Hospital - Vadodara) જાણીતા ઇએન્ડટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે ચોંકાવનારી માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, પેટના દુખાવા અને હર્નીયા જેવા રોગોમાં રાહત મેળવવા માટે લોકો કાન કોચાવતા હોય છે (Ear Piercing Superstitious). આ સલાહ તેમને સ્થાનિક ભુવા દ્વારા આપવામાં આવતી હોય છે. જો કે, આમ કરવાથી રોગમાં રાહતની જગ્યાએ દર્દી પોતાનું જ નુકશાન કરી બેસે છે. જેના ગંભીર પરિણામો ભવિષ્યમાં ભોગવવા પડી શકે છે. જેથી નિષ્ણાંત તબીબે આ અંગે લોકોને સજાગ રહેવાની સલાહ આપી છે. સાથે જ તબીબી માર્ગદર્શનમાં જ ઇલાજ લેવા પર ભાર મુક્યો છે.

આ કાર્યને જોખમી ગણાવ્યું છે

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓ દુર દુરથી આવે છે. એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો તેમના નિદાન માટે ખુબ જાણીતા છે. હાલના સમયમાં કાનના કુરચા વિંધાવવાની (Ear Piercing Superstitious) અંધશ્રદ્ધા ફેલાતી હોવાના કારણે તબીબો દ્વારા આ મુદ્દે પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમણે આ કાર્યને જોખમી ગણાવ્યું છે, અને તેમ કરવાથી દુર રહેવાની સલાહ આપી છે.

નવી મુસીબત વહોરવા સમાન છે

એસએસજી હોસ્પિટલના જાણીતા ઇએન્ડટી સ્પેશિયાલિસ્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું કે, પેટના દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે કાનમાં કાણું પડાવવાની અંધશ્રદ્ધા (Ear Piercing Superstitious) વ્યક્તિને એક મોટી સ્વાસ્થ્ય બીમારી તરફ લઈ જઈ શકે છે. ઘણી વખત ગામડાના લોકો ભુવાની સલાહ માનતા દુ:ખાવા, હર્નીયા વગેરે જેવા રોગ માટે વ્યક્તિના કાનમાં કાણું પડાવે છે, જે નવી મુસીબત વહોરવા સમાન છે. આ અત્યંત દુઃખદાયક અને સંક્રમણ વધારવા જેવી બાબત છે.

સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે

તેમણે વધુમાં જણાવ્યું કે, કાનની કુરચા વિંધાવવાથી (Ear Piercing Superstitious) અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ વ્યક્તિ જાતે ઊભી કરતો હોય છે. ક્યારેક ધાર્મિક તહેવારોમાં પણ આ પ્રકારના કાન કોચાવવામાં આવે છે, જેનાથી વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. તબીબે આ મામલે દરેકને સજાગ રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો ------  YouTube Premium Lite પ્લાન લોન્ચ, હવે ઓછા પૈસે વધુ ફાયદો મળશે

Tags :
DoctorAlertPeoleEarPiercingGujaratFirstgujaratfirstnewsGujaratiNewsMedicalConditionVadodaraSSGHospital
Next Article