Navsari: અતિ ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો, સાંસદ ધવલભાઈ આવ્યા મુસાફરોની મદદે
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાતા વલસાડ અને વાપી સ્ટેશને હજારો મુસાફરો અટવાયા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજી સાંસદ ધવલભાઈ પટેલ અને સ્થાનિક પ્રશાસને ત્વરિત સંકલન સાધી મુસાફરો માટે બસ અને ભોજનની વ્યવસ્થા કરી હતી. આરએસએસના સ્વયંસેવકોના સહયોગ સાથે માનવતાની મિસાલ પૂરી પાડતી આ કામગીરી દ્વારા અટવાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Advertisement
Navsari News: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર અને અતિ ભારે વરસાદ (Heavy Rainfall) ને કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. મુંબઈ તેમજ સમગ્ર મહારાષ્ટ્ર તરફ જતી રેલવે લાઈનો પર પાણી ભરાઈ જવાથી રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કુદરતી મુસીબતને કારણે ટ્રેનોના સમયપત્રકમાં ભારે વિલંબ થતાં અને ટ્રેનો રદ થતાં વલસાડ અને વાપી રેલવે સ્ટેશન (Railway Station) પર હજારો મુસાફરો ફસાઈ ગયા હતા.

