- અમદાવાદ શહેરમાં યોજાશે વીરાંજલિ કાર્યક્રમ
- 23 માર્ચે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરમાં આયોજન
- ભવ્યાતિભવ્ય વીરાંજલિ કાર્યક્રમને લઈ તૈયારી
- પ્રદીપસિંહ વાઘેલા દ્વારા સતત 15 વર્ષથી આયોજન
- ગુજરાતમાં 17 કાર્યક્રમ વીરાંજલિ કાર્યક્રમ થયા
- પ્રદીપસિંહે પોતાના ગામથી શરૂ કર્યો હતો કાર્યક્રમ
- આજે રાજ્યભરમાં વીરાંજલિ કાર્યક્રમ વિસ્તર્યો
- 23 માર્ચે દેશભક્તિના સૂરો રેલાવશે લોકકલાકારો
- કીર્તિદાન ગઢવી, સાઈરામ દવે રેલાવશે સૂર
- દેશભક્તિના રંગે રંગાશે અમદાવાદવાસીઓ
- સાંઈરામ દવેએ વીર જવાનો માટે લખી આરતી
- ‘આરતી વીર જવાનો કી’ રજૂ કરવામાં આવશે
Home » અમદાવાદમાં યોજાશે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ
અમદાવાદમાં યોજાશે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
990
અમદાવાદ (Ahmedabad)માં આગામી 23મી માર્ચે દેશની આઝાદી માટે કુરબાની આપનારા ક્રાંતિવીરોની ગાથા કહેતા વીરાંજલિ (Viranjali) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 23 માર્ચે રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા દ્વારા સતત 15 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રદીપસિંહે પોતાના ગામથી શરૂ કર્યો હતો કાર્યક્રમ
ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 15 વર્ષથી પોતાના ગામ બકરાણા (સાણંદ)માં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. તેમના ગામમાં શહીદ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમણે આ ઉજવણીને મોટું સ્વરુપ આપવાનું વિચાર્યું. જેથી શહીદોની વાત ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય અને તેના મનોમંથન બાદ ‘વીરાંજલિ’ કાર્યક્રમનું સર્જન થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધી વીરાંજલીના 17 કાર્યક્રમ થયા છે. આજે રાજ્યભરમાં આ કાર્યક્રમ વિસ્તરી ચુક્યો છે.
અમદાવાદમાં 23 માર્ચે લોક કલાકારો દેશભક્તિના સૂરો રેલાવશે
આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે , ગીતા રબારી સહિતના કલાકારો દેશભક્તિના સૂર રેલાશે અને અમદાવાદીઓ દેશભક્તિના રંગે રંગાશે. આ કાર્યક્રમમાં સાંઈરામ દવેએ વીર જવાનો માટે લખેલી ‘આરતી વીર જવાનો કી’ રજૂ કરવામાં આવશે.
100થી વધુ કલાકારો આ શોમાં જોડાયેલા
લોકપ્રિય કલાકાર સાંઇરામ દવે સહિત 100થી વધુ કલાકારો આ શોમાં જોડાયેલા છે. ગત વર્ષે 23 માર્ચે અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે આ શો યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ નિકોલ વિસ્તારમાં શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો અને ક્રાંતિવીરોની ગાથા સાંભળી અને જોઇ હતી. ફરીથી એક વાર અમદાવાદવાસીઓને આ ભવ્ય કાર્યક્રમ માણવાની તક મળી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject