Congress તુષ્ટિકરણની રાજનીતિ કરે છે : Amit Shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે 'સનાતન ધર્મ' વિરુદ્ધ DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પર વિપક્ષી INDIA ગઠબંધનના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા. શાહે તેમના પર વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ રમવા માટે 'સનાતન ધર્મ'નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. શાહે ફરી એકવાર લાલ ડાયરીનો ઉલ્લેખ કરીને રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આકરા પ્રહારો કર્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત પર કટાક્ષ કરતા તેમણે કહ્યું- રાજસ્થાનના CM ગેહલોત લાલ કપડા પહેરે ત્યારે પણ લાલ ડાયરી જ દેખાય છે. તેમાં ખાણકામ, કાલીસિંધ અને શિક્ષક કૌભાંડોની વિગતો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.