ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પંજાબમાં કેપ્ટન પોતાના પરિવાર સાથે ભાજપમાં જોડાશે પણ પત્ની નહીં

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી આજે ભાજપમાં વિલીન થઈ જશે. કેપ્ટન અમરિન્દર સિંહ આજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પ્રાથમિક સભ્યપદ લઈ શકે છે. કેપ્ટનની સાથે પંજાબના છ પૂર્વ ધારાસભ્યો, કેપ્ટનના પુત્ર રણ ઈન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર, પૌત્ર નિર્વાન સિંહ પણ ભાજપમાં જોડાશે પરંતુ પત્ની સાંસદ પ્રનીત કૌર હાલ કોંગ્ર
03:49 AM Sep 19, 2022 IST | Vipul Pandya
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી આજે ભાજપમાં વિલીન થઈ જશે. કેપ્ટન અમરિન્દર સિંહ આજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પ્રાથમિક સભ્યપદ લઈ શકે છે. કેપ્ટનની સાથે પંજાબના છ પૂર્વ ધારાસભ્યો, કેપ્ટનના પુત્ર રણ ઈન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર, પૌત્ર નિર્વાન સિંહ પણ ભાજપમાં જોડાશે પરંતુ પત્ની સાંસદ પ્રનીત કૌર હાલ કોંગ્ર
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી આજે ભાજપમાં વિલીન થઈ જશે. કેપ્ટન અમરિન્દર સિંહ આજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પ્રાથમિક સભ્યપદ લઈ શકે છે. કેપ્ટનની સાથે પંજાબના છ પૂર્વ ધારાસભ્યો, કેપ્ટનના પુત્ર રણ ઈન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર, પૌત્ર નિર્વાન સિંહ પણ ભાજપમાં જોડાશે પરંતુ પત્ની સાંસદ પ્રનીત કૌર હાલ કોંગ્રેસમાં જ રહેશે.
ગત વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટને કોંગ્રેસ છોડીને પંજાબ લોક કોંગ્રેસની રચના કરીને પંજાબમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. તે સમયે તેમના પુત્ર રાનીન્દર સિંહે ભાજપ સાથે સંકલન કરીને ટિકિટોની વહેંચણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ પંજાબમાં AAPના તોફાન સામે કેપ્ટનની પાર્ટીની ખરાબ હાલત થઇ હતી અને ભાજપ પણ હાંસિયામાં આવી ગયું.
ભાજપ પંજાબમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ સાથે વિલીનીકરણના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકારે ઓપરેશન લોટસ હેઠળ ભાજપ પર AAP ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાજપ લાંબા સમયથી પંજાબમાં એક મજબૂત શીખ ચહેરાની શોધમાં છે, જે હિન્દુ મતવિસ્તારને પણ સ્વીકાર્ય છે. અમરિન્દર સિંહના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા અંગત સંબંધો છે. જ્યારે તેઓ પંજાબના સીએમ હતા, ત્યારે તેમણે રેકોર્ડ પર કહ્યું હતું કે જ્યારે પીએમનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેઓ હંમેશા સહકાર આપે છે.
કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસમાંથી બે વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પરંતુ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપમાં જોડાયા બાદ તેમની ભૂમિકા શું હશે. કેપ્ટન અત્યારે 80 વર્ષના છે. જ્યારે ભાજપ 75થી ઉપરના નેતાઓને ટિકિટ આપતું નથી. આવી સ્થિતિમાં કેપ્ટન માટે રસ્તો થોડો મુશ્કેલ બની શકે છે. જોકે પુત્રી જય ઈન્દર કૌર તેમનું રાજકીય કામ સંભાળે છે. પંજાબની ચૂંટણીમાં તેમની ભૂમિકા પ્રથમ હરોળમાં હતી. આવી સ્થિતિમાં એમ માનવામાં આવે છે કે તેમની પુત્રીને પણ મહત્વનો રોલ મળી શકે છે.
Tags :
CaptainAmarinderSinghGujaratFirstPunjab
Next Article