ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અફઘાનિસ્તાનમાં અનુભવાયો 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, 155થી વધુ લોકોના થયા મોત

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાન શહેર ખોસ્તથી લગભગ 44 કિમી દૂર હતું અને તે 51 કિમીની ઊંડાઈએ હતું. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 155થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના
05:53 AM Jun 22, 2022 IST | Vipul Pandya
ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાન શહેર ખોસ્તથી લગભગ 44 કિમી દૂર હતું અને તે 51 કિમીની ઊંડાઈએ હતું. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 155થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના
ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાન શહેર ખોસ્તથી લગભગ 44 કિમી દૂર હતું અને તે 51 કિમીની ઊંડાઈએ હતું. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 155થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના કારણે જાનમાલને ભારે નુકસાન થયાના અહેવાલો છે. આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 155થી વધુ લોકોના મોતની આશંકા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ હેલિકોપ્ટરમાંથી લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપરાંત પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપ કેવી રીતે આવે છે?
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓ વળવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.
Update...
Tags :
AfghanistanDisasterManagementearthquakeGujaratFirst
Next Article