ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમ્યાન નાસભાગમાં 7 લોકોના મોત

નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે બુધવારે (28 ડિસેમ્બર) ના રોજ TDP વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ તેમના પક્ષના પ્રચારના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે હતા અને તેમના સ્વાગત માટે હજારો સમર્થકો કંદુકુર ખાતે એકઠા થયા હતા.ઘટના બાદ ચંદ્રબાબà«
05:08 PM Dec 28, 2022 IST | Vipul Pandya
નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે બુધવારે (28 ડિસેમ્બર) ના રોજ TDP વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ તેમના પક્ષના પ્રચારના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે હતા અને તેમના સ્વાગત માટે હજારો સમર્થકો કંદુકુર ખાતે એકઠા થયા હતા.ઘટના બાદ ચંદ્રબાબà«
નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે બુધવારે (28 ડિસેમ્બર) ના રોજ TDP વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ તેમના પક્ષના પ્રચારના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે હતા અને તેમના સ્વાગત માટે હજારો સમર્થકો કંદુકુર ખાતે એકઠા થયા હતા.ઘટના બાદ ચંદ્રબાબુ નાયડુ રોડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

TDP નેતા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આજે નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે આયોજિત જાહેર સભા દરમિયાન થયેલી ભાગદોડ બાદ સાત TDP કાર્યકરોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીજેપી નેતા કે વિષ્ણુ વર્ધન રેડ્ડીએ આ ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું હતું કે આંધ્ર પ્રદેશના કંદુકુરમાં TDP રેલીમાં નાસભાગમાં 7 થી વધુ લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા. હું રાજ્ય સરકારને વહેલી તકે કટોકટી-તબીબી સહાય પ્રદાન કરવા વિનંતી કરું છું. અને પીડિત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.
આપણ  વાંચો-ભારત 2036 ઓલિમ્પિક માટે બોલી લગાવશે, ગુજરાત યજમાન રાજ્ય બનશે : અનુરાગ ઠાકુર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AndhraPradeshChandrababuNaiduGujaratFirstKandukurNelloreDistrictmeetingRoadShowstampede
Next Article