ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જન્મ બાદ બાળકના શરીરની ચામડી પર જે સફેદ લેયર દેખાય છે, તેનો શું ફાયદો મળે?

કહેવાય છે કે મા અને બાળકનો સંબંધ ગર્ભમાંથી જ બંધાઈ જતો હોય છે. બાળકને માતાના ગર્ભમાં હૂંફ મળતી હોય છે. પરંતુ ડિલિવરી પછી નવજાત બાળક ગર્ભ કરતા ખૂબ જ નીચા તાપમાનના સંપર્કમાં આવે છે. જેથી બાળકના શરીરને થોડું ગરમ રાખવાની જરૂર હોય છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે બાળકના જન્મ બાદ તેને તરત જ સ્નાન ન કરાવવું જોઈએ. કારણ કે બાળકને જન્મ પછી તરત જ સ્નાન કરાવવામાં આવે, ત્યારે તેના શરીરનું તાપમા
12:18 PM Aug 31, 2022 IST | Vipul Pandya
કહેવાય છે કે મા અને બાળકનો સંબંધ ગર્ભમાંથી જ બંધાઈ જતો હોય છે. બાળકને માતાના ગર્ભમાં હૂંફ મળતી હોય છે. પરંતુ ડિલિવરી પછી નવજાત બાળક ગર્ભ કરતા ખૂબ જ નીચા તાપમાનના સંપર્કમાં આવે છે. જેથી બાળકના શરીરને થોડું ગરમ રાખવાની જરૂર હોય છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે બાળકના જન્મ બાદ તેને તરત જ સ્નાન ન કરાવવું જોઈએ. કારણ કે બાળકને જન્મ પછી તરત જ સ્નાન કરાવવામાં આવે, ત્યારે તેના શરીરનું તાપમા

કહેવાય છે કે મા અને બાળકનો સંબંધ ગર્ભમાંથી જ બંધાઈ જતો હોય છે. બાળકને માતાના ગર્ભમાં હૂંફ મળતી હોય છે. પરંતુ ડિલિવરી પછી નવજાત બાળક ગર્ભ કરતા ખૂબ જ નીચા તાપમાનના સંપર્કમાં આવે છે. જેથી બાળકના શરીરને થોડું ગરમ રાખવાની જરૂર હોય છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે બાળકના જન્મ બાદ તેને તરત જ સ્નાન ન કરાવવું જોઈએ. કારણ કે બાળકને જન્મ પછી તરત જ સ્નાન કરાવવામાં આવે, ત્યારે તેના શરીરનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે અને તેને હાઇપોથર્મિયાનું કે બીમાર પડવાનું જોખમ વધી જાય છે.


બાળકના જન્મ બાદ તેના શરીરની ચામડી ઉપર એક સફેદ કલરનું અને પાતળું લેયર દેખાતું હોય છે. જે તેને બીમારીથી બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આવો વિસ્તારથી જાણીએ..


નવજાતના જન્મ દરમિયાન ચામડી પર સફેદ પડ હોય છે, જેને વર્નિક્સ કહેવાય છે. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. અને આ જ સફેદ લેયર, જે બાળકને જન્મ દરમિયાન ઘણાં પ્રકારના હાનિકારક ઇન્ફેક્શન, જેવા કે મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા વગેરેની સામે લડવામાં મદદ કરે છે.

'વર્નિક્સ' બાળકને અનેક બીમારીઓથી બચાવવા માટે કામ કરે છે. જો બાળકને નવડાવવામાં આવે તો આ લેવલ દૂર થઇ જાય છે ને ઇન્ફેક્શનનું જોખમ વધે છે. 

મોટા ભાગની હોસ્પિટલોમાં ગ્લોઝ પહેરવામાં આવે છે. જેનો અર્થ એમ છે કે જેઓ બાળકના સીધા સંપર્કમાં આવે, તેણે હાથમાં મોજા અવશ્ય પહેરવા જોઈએ. જે બાળકને ચેપ અને ઈન્ફેક્શનથી સુરક્ષિત રાખવા મદદ કરે છે. જે ચેપનું જોખમ પણ ઘટાડે છે.

બાળકના જન્મ પછીનો શરૂઆતનો સમય મા અને બાળકના સંબંધ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. 

જે માતાઓ બાળકના જન્મ પછી બાળકને પોતાની ત્વચાના સંપર્કમાં કે સ્પર્શમાં રાખે છે, તેને ચેપ અને ઈન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે. તેમજ આ સાથે બાળકનું તાપમાન કંટ્રોલમાં રહે છે. આ સાથે જ બંનેના બ્લડ પ્રેશરમાં પણ સુધારો થાય છે અને બાળક વ્યવસ્થિત રીતે સ્તનપાન પણ કરી શકે છે.

Tags :
babyChildCareGujaratFirstHealthCareHealthTipsTipsVernix
Next Article