ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

"શર્માજી કી નમકીન" જોયા પછી રણધીર કપૂરે કહ્યું - ઋષિ ક્યાં છે, ફોન કરો

ઋષિ કપૂરની ફિલ્મ શર્માજી નમકીન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઋષિને જોઈને ફેન્સ તેને યાદ કરી રહ્યા છે. સાથે જ પરિવારના સભ્યો પણ ભાવુક થયાં છે. આ દરમિયાન ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરે એક વાત કહી છે. તેણે જણાવ્યું કે તેના કાકા રણધીર કપૂરને સ્મૃતિ ભ્રંશનો પ્રારંભિક તબક્કાની બીમારી છે. ફિલ્મ જોયા બાદ રણધીર કપૂરને પોતાના ભાઈની યાદ આવી ગઈ. તે ભૂલી ગયા કે ઋષિ કપૂર આ દુનિયામાં નથી રહ્યા. તે રણબીરનà
12:42 PM Mar 31, 2022 IST | Vipul Pandya
ઋષિ કપૂરની ફિલ્મ શર્માજી નમકીન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઋષિને જોઈને ફેન્સ તેને યાદ કરી રહ્યા છે. સાથે જ પરિવારના સભ્યો પણ ભાવુક થયાં છે. આ દરમિયાન ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરે એક વાત કહી છે. તેણે જણાવ્યું કે તેના કાકા રણધીર કપૂરને સ્મૃતિ ભ્રંશનો પ્રારંભિક તબક્કાની બીમારી છે. ફિલ્મ જોયા બાદ રણધીર કપૂરને પોતાના ભાઈની યાદ આવી ગઈ. તે ભૂલી ગયા કે ઋષિ કપૂર આ દુનિયામાં નથી રહ્યા. તે રણબીરનà
ઋષિ કપૂરની ફિલ્મ શર્માજી નમકીન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ઋષિને જોઈને ફેન્સ તેને યાદ કરી રહ્યા છે. સાથે જ પરિવારના સભ્યો પણ ભાવુક થયાં છે. આ દરમિયાન ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરે એક વાત કહી છે. તેણે જણાવ્યું કે તેના કાકા રણધીર કપૂરને સ્મૃતિ ભ્રંશનો પ્રારંભિક તબક્કાની બીમારી છે. ફિલ્મ જોયા બાદ રણધીર કપૂરને પોતાના ભાઈની યાદ આવી ગઈ. તે ભૂલી ગયા કે ઋષિ કપૂર આ દુનિયામાં નથી રહ્યા. તે રણબીરને પૂછવા લાગ્યો કે ઋષિ ક્યાં છે? તેને ફોન કરો. તેમણે પોતાના ભાઈના કામની પણ પ્રશંસા કરી.

ઋષિ ક્યાં છે?
છેલ્લા બે વર્ષમાં રણધીર કપૂરે પોતાના બે ભાઈઓને ગુમાવ્યા છે. આનાથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે. તેમના ભત્રીજા રણબીર કપૂરે આ બાબતે ખુલાસો કર્યો છે કે રણધીર ડિમેન્શિયા બીમારીના પ્રારંભિક તબક્કામાં છે. આ સ્મૃતિ ભ્રંશ છે. એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીરે કહ્યું હતું કે, મારા કાકા રણધીર, જેમને ડિમેન્શિયા છે, ફિલ્મ જોયા પછી મારી પાસે આવ્યા હતા. કહ્યું, પપ્પાને કહો કે તે અદ્ભુત ફિલ્મ છે અને તે ક્યાં છે, ચાલો ફોન કરીએ.

પરિવારના સભ્યો ગુમાવવાનું દુઃખ છે
રણધીર કપૂર પોતાના ભાઈ-બહેનની ખોટનો વારંવાર ઉલ્લેખ કરતા રહે છે. તે ઘણીવાર ઉદાસ રહે છે કે જીવનમાં ખાલીપણું આવી ગયું છે.એક જૂના ઈન્ટરવ્યુમાં રણધીર કપૂરે કહ્યું હતું કે, “પાછલું વર્ષ મારા જીવનમાં ખૂબ જ દુઃખદ સમય હતો. દુઃખ ખૂબ જ હળવો શબ્દ હશે. સૌથી દુઃખદ વાત સાચી હશે. મેં માત્ર 10 મહિનાના ગાળામાં મારા વહાલા ભાઈને ગુમાવ્યો છે, છેલ્લા અઢી વર્ષમાં મેં મારી માતા કૃષ્ણા કપૂર અને બહેન રિતુ નંદાને પણ ગુમાવી છે.

અમે બધા ખૂબ નજીક હતા
રણધીરે કહ્યું હતું કે, અમે ત્રણ ભાઈઓ અને બે બહેનો ખૂબ જ નજીક હતા. ચિન્ટુ, ચિમ્પુ અને હું રોજ એકબીજા સાથે વાતો કરતા. ચિંપુ મારી અને ચિન્ટુ સાથે રહેતા હતા. જ્યારે શૂટિંગ નહોતું ત્યારે તે ઓફિસે આવતો કે ફોન કરતો. જ્યારે અમે ત્રણ સાથે હતા ત્યારે અમને બીજા કોઈની જરૂર રહેતી નહોતી.
Tags :
GujaratFirstRanbeerkapoorrandheerkapoorRishiKapoorsharmajikinamkeen
Next Article