Ahmedabad Education Group : ઊર્જા અને ઈંધણ બચત માટે યુવા પેઢીને સંકલ્પ લેવડાવ્યો
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં એક વિશેષ 'એજ્યુકેશન કોન્ક્લેવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને ઊર્જા સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો અને ધોરણ 10-12 પછીના વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
Advertisement
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત આ કોન્ક્લેવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊર્જા અને ઈંધણ બચત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, ઈંધણ અને વીજળી એ મર્યાદિત સ્ત્રોતો છે, તેથી તેનો બિનજરૂરી ઉપયોગ ટાળવો એ સમયની માંગ છે.

