અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રદ્દ કરી કતલખાનાની દરખાસ્ત
- AMC Budget Controversy: ભારે વિરોધ બાદ AMCના બજેટમાંથી કતલખાનાની દરખાસ્ત રદ્દ
- અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રદ્દ કરી દરખાસ્ત
- કતલખાના માટે 32 કરોડ ફાળવાતા થયો હતો વિવાદ
- સુપ્રીમકોર્ટની ગાઇડલાઈનને લઈ મૂકી હતી દરખાસ્ત
- ભાજપના ધારાસભ્ય અમિતભાઈ શાહે કર્યો હતો વિરોધ
Ahmedabad Slaughterhouse Proposal Cancelled:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation - AMC) દ્વારા શહેરમાં નવું કતલખાનું (Slaughter House) બનાવવાની દરાખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ ભારે વિરોધ અને રાજકીય દબાણ બાદ મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) દ્વારા આ દરખાસ્તને સત્તાવાર રીતે રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે સ્થાનિક રહેવાસીઓ અને ધાર્મિક સંગઠનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
Ahmedabad: સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અપાયો હતો હવાલો
શહેરમાં પશુઓના કતલખાના અને તેની સ્વચ્છતાને લઈને સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા કેટલીક માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડવામાં આવી હતી. આ ગાઈડલાઈનનું પાલન કરવાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નવું કતલખાનું બનાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. તંત્રનો તર્ક હતો કે શહેરની બહાર અથવા સુવ્યવસ્થિત જગ્યાએ આ પ્રોજેક્ટ હોવો જોઈએ, પરંતુ તેની જગ્યાની પસંદગી વિવાદનું કેન્દ્ર બની હતી.


