Ahmedabad : અમદાવાદના ન્યૂ મણીનગર વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત
Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા (ન્યૂ મણિનગર) પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઊંડી ગટરમાં કામ કરી રહેલા શ્રમિકો પર અચાનક ભેખડ ધસી પડતા એક શ્રમિકનું માટી નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
Advertisement
- અમદાવાદના (Ahmedabad) વટવા વિસ્તારમાં ભેખડ ધસતા એકનું મોત
- ડ્રેનેજની કામગીરી દરમિયાન ભેખડ ધસી હતી
- સેફ્ટીના સાધનો વગર કામગીરી થયા હોવાના આક્ષેપ
- સેફ્ટી બેલ્ટ વિના ઊંડી ગટરની કામગીરી ચાલતી હોવાના આક્ષેપ
Ahmedabad: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા (ન્યૂ મણિનગર) પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઊંડી ગટરમાં કામ કરી રહેલા શ્રમિકો પર અચાનક ભેખડ ધસી પડતા એક શ્રમિકનું માટી નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા છે.
Advertisement


