Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પલ્લવ ચાર રસ્તા પર બ્રિજના શુભારંભની તૈયારી અંતિમ તબક્કે

Ahmedabad : અમદાવાદના પલ્લવ ચાર રસ્તા વિસ્તારમાં નિર્મિત થયેલ નવા ઓવરબ્રિજના ઉદ્ઘાટન માટે અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બ્રિજનું બાંધકામ કાર્ય પૂર્ણ થતાં હવે તેના લોડ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે.
Advertisement

Ahmedabad : અમદાવાદના પલ્લવ ચાર રસ્તા વિસ્તારમાં નિર્મિત થયેલ નવા ઓવરબ્રિજના ઉદ્ઘાટન માટે અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બ્રિજનું બાંધકામ કાર્ય પૂર્ણ થતાં હવે તેના લોડ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે, જેમાં લગભગ 300 મેટ્રિક ટન વજન મૂકીને તેની ક્ષમતા અને સુરક્ષાની તપાસ કરવામાં આવી રહી છે. આ લોડ ટેસ્ટ 18 એપ્રિલ સુધી ચાલશે અને ત્યારબાદ મળનારા રિપોર્ટના આધારે બ્રિજ ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવશે. તંત્ર દ્વારા અપાયેલ માહિતી મુજબ બ્રિજને મે મહિનાના બીજા સપ્તાહમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે, જેને કારણે આ વિસ્તારના વાહનચાલકોને ટ્રાફિકથી મોટી રાહત મળશે.

Advertisement
Tags :
Advertisement

.

×