Ahmedabad : નવરાત્રિમાં ગરબાના આયોજનમાં સુરક્ષા રહેશે સર્વોપરી, થઇ રહી છે વિશેષ તૈયારીઓ
નવરાત્રિમાં ગરબાના આયોજનમાં વિધર્મીઓના પ્રવેશનો મામલો અમદાવાદના ગરબા આયોજકોએ સુરક્ષાને લઈ કરી વિશેષ તૈયારી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ દરમિયાન આધારકાર્ડ ચેક કરવામાં આવશે ખેલૈયાઓને તિલક કરીને જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે મહિલાઓની સુરક્ષા માટે મહિલા બાઉન્સરો ખડેપગે રહેશે બોપલ વિસ્તારમાં...
09:29 AM Aug 27, 2025 IST
|
Hardik Shah
- નવરાત્રિમાં ગરબાના આયોજનમાં વિધર્મીઓના પ્રવેશનો મામલો
- અમદાવાદના ગરબા આયોજકોએ સુરક્ષાને લઈ કરી વિશેષ તૈયારી
- ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ દરમિયાન આધારકાર્ડ ચેક કરવામાં આવશે
- ખેલૈયાઓને તિલક કરીને જ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે
- મહિલાઓની સુરક્ષા માટે મહિલા બાઉન્સરો ખડેપગે રહેશે
- બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ કરાયું છે ગરબાનું ભવ્ય આયોજન
- લોકગાયક જીગ્નેશ કવિરાજના સૂર સાથે ખેલૈયાઓની જામશે રમઝટ
Navratri : અમદાવાદમાં આવનારી નવરાત્રિ ઉજવણીને લઈને ગરબા આયોજકોએ સુરક્ષા માટે ખાસ તૈયારીઓ કરી છે. ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવતા પહેલા ખેલૈયાઓનું આધારકાર્ડ ચેક કરવામાં આવશે અને માત્ર તિલક કર્યા બાદ જ તેમને અંદર પ્રવેશ મળશે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા બાઉન્સરોને તૈનાત કરવામાં આવશે, જેથી તેઓ ખડેપગે રહી સુરક્ષા સુનિશ્ચિત કરી શકે. બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ પર ભવ્ય ગરબાનું આયોજન થયું છે, જ્યાં લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજના સૂર પર ખેલૈયાઓ ગરબાની રમઝટ માણશે. આ તમામ વ્યવસ્થાઓ સાથે આ વખતનો ગરબા મહોત્સવ વધુ આનંદદાયક અને સુરક્ષિત બનશે એવી અપેક્ષા છે.
Next Article