Ahmedabad : Tathya Patel અકસ્માત કેસમાં ભોગ બનનારનાં પરિવારની આપવીતી
અકસ્માતમાં જય ચૌહાણને મોટી શારીરિક ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના 3 વર્ષ પૂર્ણ થયા બાદ પણ તેમની સારવાર ચાલી રહી છે.
Advertisement
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર નબીરા તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં ભોગ બનનારના પરિવારની આપવીતી સામે આવી છે. તથ્ય પટેલને જામીન મળી જતાં પીડિતા પરિવારે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભોગ બનનાર જય ચૌહાણના પરિવારે તથ્ય પટેલને આકરી સજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. અકસ્માતમાં જય ચૌહાણને મોટી શારીરિક ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના 3 વર્ષ પૂર્ણ થયા બાદ પણ તેમની સારવાર ચાલી રહી છે. SC એ આપેલા જામીન બાદ જયના પિતાએ વેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, બહાર આવશે એટલે ફરી કરશે, તેની સામે બોલવાવાળુ કોઈ નથી. તથ્ય અને તેના પિતાને જેણે સપોર્ટ કર્યો તેને કુદરત સારી સજા આપે. 20 જુલાઈ 2023 ના રોજ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કર્યો હતો. ગંભીર અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.......જુઓ અહેવાલ.....
Advertisement


