Ajit Pawar plane crash News : બારામતી પ્લેન ક્રેશમાં ચોંકાવનારો ખુલાસો
- Ajit Pawar plane crash News
- બારામતી પ્લેન ક્રેશ મુદ્દે સૌથી મોટા સમાચાર
- વિમાનમાં ટેકનિકલ ખામી આવી હતી
- પાયલટે ATCને મેડે કોલ કર્યો હતો
- ATCએ લેન્ડિંગની આપી હતી પરવાનગી
- બે વખત લેન્ડિંગનો કર્યો હતો પ્રયાસ
- લેન્ડિંગના ત્રીજા પ્રયાસમાં વિમાન થયું ક્રેશ
Ajit Pawar plane crash News : બારામતી એરપોર્ટ પર સર્જાયેલી વિમાન દુર્ઘટના અંગે તપાસ દરમિયાન સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જે મુજબ ક્રેશ પહેલા વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
પાયલટે ATCને મેડે કોલ કર્યો હતો
વિમાનમાં ખામી વર્તાતા પાયલટે સમયસૂચકતા વાપરીને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને 'મેડે' (કટોકટીનો કોલ) કર્યો હતો, જેના પગલે ATC દ્વારા તેને તાત્કાલિક લેન્ડિંગ કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. જોકે, લેન્ડિંગની પ્રક્રિયા અત્યંત જોખમી બની રહી હતી, જેમાં પાયલટે 2 વખત સુરક્ષિત ઉતરાણ કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. કમનસીબે, જ્યારે પાયલટ ત્રીજી વખત લેન્ડિંગ માટે પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે વિમાન પરનું નિયંત્રણ ગુમાવતા તે ક્રેશ થયું હતું. આ ટેકનિકલ નિષ્ફળતા અને લેન્ડિંગના સંઘર્ષે અંતે 5 વ્યક્તિઓનો ભોગ લીધો હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો : LIVE: Maharashtra DyCM Ajit Pawar plane crash : બારામતી પ્લેન ક્રેશના પ્રથમ CCTV ફૂટેજ આવ્યા સામે


