Ambaji : પદયાત્રીઓ માટે અદભુત સુવિધાઓ, માર્ગમાં યાત્રાળુઓ માટે 4 વિશાળ ડોમ
Ambaji : પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓની સગવડતા માટે અંબાજીના માર્ગ પર 4 વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે.
12:53 PM Sep 03, 2025 IST
|
Hardik Shah
- Ambaji માં શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા
- યાત્રાળુઓના વિસામા માટે 4 વિશાળ ડોમ
- પ્રત્યેક ડોમમાં રજિસ્ટ્રેશન સહિતની વ્યવસ્થા
- પીવાનું શુદ્ધ પાણી, પથારી સહિતની સુવિધા
- મોબાઈલ ચાર્જિંગ, ટોયલેટ સહિતની સુવિધા
- CCTV કેમેરાથી રખાઈ રહી છે સતત નજર
Ambaji : પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓની સગવડતા માટે અંબાજીના માર્ગ પર 4 વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ્સમાં યાત્રાળુઓ માટે તમામ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. શુદ્ધ પીવાનું પાણી, આરામ કરવા માટે પથારી, મોબાઈલ ચાર્જિંગની સુવિધા અને સ્વચ્છ શૌચાલય જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. સુરક્ષાની દ્રષ્ટિએ, દરેક ડોમમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય. આ વ્યવસ્થા દ્વારા યાત્રાળુઓ પોતાની યાત્રા આરામથી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકે છે.
આ પણ વાંચો : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા
Next Article