ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યુક્રેનમાં ફરી ભયંકર હુમલો, રશિયાએ શોપિંગ સેન્ટર પર મિસાઈલથી કર્યો એટેક

રશિયન મિસાઈલે સોમવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં એક શોપિંગ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ હુમલો મધ્ય યુક્રેનિયન શહેર ક્રેમેન્ચુકમાં થયો હતો. તેમણે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે ત્યાં 1000થી વધુ લોકો હતા. જો કે તેણે મૃત્યુ અંગે કોઈ વિગતો આપી ન હતી, પરંતુ તેણે કહ્યું હતું કે પીડિતોની સંખ્યાનો અંદાજ લગાવવો અશક્ય છે.ઝેલ
04:27 PM Jun 27, 2022 IST | Vipul Pandya
રશિયન મિસાઈલે સોમવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં એક શોપિંગ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ હુમલો મધ્ય યુક્રેનિયન શહેર ક્રેમેન્ચુકમાં થયો હતો. તેમણે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે ત્યાં 1000થી વધુ લોકો હતા. જો કે તેણે મૃત્યુ અંગે કોઈ વિગતો આપી ન હતી, પરંતુ તેણે કહ્યું હતું કે પીડિતોની સંખ્યાનો અંદાજ લગાવવો અશક્ય છે.ઝેલ
રશિયન મિસાઈલે સોમવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં એક શોપિંગ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ હુમલો મધ્ય યુક્રેનિયન શહેર ક્રેમેન્ચુકમાં થયો હતો. તેમણે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે ત્યાં 1000થી વધુ લોકો હતા. જો કે તેણે મૃત્યુ અંગે કોઈ વિગતો આપી ન હતી, પરંતુ તેણે કહ્યું હતું કે પીડિતોની સંખ્યાનો અંદાજ લગાવવો અશક્ય છે.
ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર લખ્યું છે કે રશિયા પાસેથી કોઈપણ પ્રકારની દયા કે માનવતાની અપેક્ષા રાખવી અર્થહીન છે. શહેરના મેયર વિટાલી મેલેટ્સકીએ પણ કહ્યું કે આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પરંતુ તેણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ આપી ન હતી. તમને જણાવી દઈએ કે રશિયાના આક્રમણ પહેલા ક્રેમચુક યુક્રેનનું એક મોટું ઔદ્યોગિક શહેર હતું. અહીં યુક્રેનની સૌથી મોટી રિફાઈનરી છે.
રશિયા લોકોને મારવા માંગે છે
આ ઘટનાના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આમાં ઘટનાની તીવ્રતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકારે કહ્યું કે રશિયાએ શોપિંગ સેન્ટર પર હુમલો કર્યો કારણ કે તે લોકોને મારવા માંગતો હતો. સલાહકારે કહ્યું કે જો તેનો ઈરાદો લોકોને મારવાનો ન હતો, તો દિવસના સમયે જ્યારે લોકોની ભારે ભીડ હોય ત્યારે મિસાઈલ છોડવાનો શું અર્થ છે.
Tags :
GujaratFirstMissileAttackrussiarussiaukrainewarukraine
Next Article