ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આઝમ ખાને ધારાસભ્ય તરીકે શપથ લીધા

સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરની સદર સીટના ધારાસભ્ય આઝમ ખાને આજે સોમવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા. આઝમ ખાનની સાથે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને પણ વિધાનસભાના સભ્યપદના શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ બંને ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. આઝમ ખાન યુપી વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહીમાં ભાગ લેશે. ચર્ચા છે કે આઝમ ખાન આજે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહને
06:34 AM May 23, 2022 IST | Vipul Pandya
સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરની સદર સીટના ધારાસભ્ય આઝમ ખાને આજે સોમવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા. આઝમ ખાનની સાથે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને પણ વિધાનસભાના સભ્યપદના શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ બંને ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. આઝમ ખાન યુપી વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહીમાં ભાગ લેશે. ચર્ચા છે કે આઝમ ખાન આજે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહને
સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરની સદર સીટના ધારાસભ્ય આઝમ ખાને આજે સોમવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા. આઝમ ખાનની સાથે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાને પણ વિધાનસભાના સભ્યપદના શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ બંને ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. આઝમ ખાન યુપી વિધાનસભાના બજેટ સત્રની કાર્યવાહીમાં ભાગ લેશે. ચર્ચા છે કે આઝમ ખાન આજે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહને મળી શકે છે. આ દરમિયાન તે પોતાની વાત રાખશે. આઝમ ખાન 28 મહિના પછી જેલમાંથી છૂટ્યા છે અને તેમની વિરુદ્ધ લગભગ 88 કેસ નોંધાયેલા છે. જ્યારે એક કેસમાં તેને આવતીકાલે રામપુર કોર્ટમાં હાજર થવાનું છે.
તમામ રાજકીય અટકળોને બાજુ પર મૂકીને સપા નેતા અને ધારાસભ્ય આઝમ ખાને વિધાનસભાના સભ્યપદના શપથ લીધા. આઝમ ખાન મોડી રાત્રે રામપુરથી લખનૌ જવા રવાના થયા હતા. જોકે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે લખનૌ નહીં આવે. પરંતુ તેઓ આજે લખનઉ પહોંચ્યા અને વિધાનસભાના અધ્યક્ષની સામે ધારાસભ્ય તરીકે શપથ લીધા. આ દરમિયાન આઝમ ખાનના પુત્ર અને સ્વાર સીટના ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાને પણ શપથ લીધા હતા. આઝમ ખાન જેલમાં હોવાના કારણે ધારાસભ્ય પદના શપથ લઈ શક્યા ન હતા અને કોર્ટે પણ તેમને શપથ લેવા માટે મંજૂરી આપી ન હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 
એક દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા આઝમ ખાને કહ્યું હતું કે જેઓ તેમને જેલમાં મળવા આવ્યા તેઓનો તેઓ આભાર માને છે અને જેઓ નથી આવ્યા તેમનો પણ આભાર માને છે. આ સાથે તેમણે કહ્યું કે અખિલેશ યાદવ કેમ ન આવ્યા તે અંગે તેઓ કંઈ કહી શકે તેમ નથી. આઝમ ખાનના નજીકના ધારાસભ્યો અને સમર્થકો તેમને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ સપા પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામું આપીને વિપક્ષના નેતાની ખુરશી સંભાળી લીધી અને આજે તેમની પ્રથમ પરીક્ષા છે. કારણ કે તેઓ પ્રથમ વખત ગૃહમાં વિપક્ષના નેતા તરીકેનો કાર્યભાર સંભાળશે.
Tags :
AbdullahAzamKhanAzamKhanGujaratFirstLucknowoathasMLASamajwadiPartyUPupelectionUttarPradeshAssembly
Next Article