Bagdana Case: Bhavnagar જિલ્લા જેલમાં Jayraj Ahir ની વધી મુશ્કેલી
Bagdana Case: બગદાણા (Bagdana) વિવાદ અને નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલ જયરાજ આહિર (Jayraj Ahir) ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ તે ભાવનગર જેલમાં સામાન્ય કેદીઓની જેમ દિવસો વિતાવી રહ્યો છે.
Advertisement
- બગદાણા (Bagdana) ના સેવક નવનીત પર હુમલાનો મામલો
- જેલમાં જયરાજ આહિરની હાલત કફોડી
- 3 દિવસથી જેલની રોટલી ખાવી પડી, કોઈ ખાસ બેરેક ન મળી
- જનરલ બેરેકમાં સામાન્ય કેદીઓની વચ્ચે રહેવા મજબૂર જયરાજ આહિર
Bagdana Case: બગદાણા (Bagdana) ના સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના મામલે શનિવારે જેલભેગા કરાયેલા જયરાજ આહિર (Jayraj Ahir) માટે જેલવાસ ઘણો કઠિન સાબિત થઈ રહ્યો છે. ભાવનગર (Bhavnagar) જિલ્લા જેલમાં બંધ જયરાજને હાલમાં કોઈ ખાસ સવલત આપવામાં આવી નથી.
જેલના ભોજન અને જનરલ બેરેક વચ્ચે જયરાજ
જેલના સૂત્રો અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી જયરાજ આહિર જેલનું જ સાદું ભોજન લઈ રહ્યો છે. તેને હજુ સુધી કોઈ અલગ બેરેક ફાળવવામાં આવી નથી અને હાલ તેને જનરલ બેરેક માં રાખવામાં આવ્યો છે. જયરાજના પરિવારજનો દ્વારા જેલમાં ઘરનું ટીફિન મળે તે માટે કોર્ટમાં અરજી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેને મંજૂરી મળી નથી. મહારાજ નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં મહુવા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો.
Advertisement
Advertisement


