Bagdana Case: Navnit Baladhiya કેસમાં હવે કોળી સમાજ આક્રમક
Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ગત 29 ડિસેમ્બરે કોળી સમાજના આગેવાન તેમજ ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં હવે કોળી સમાજ આક્રમક મૂડમાં આવી ગયો છે. સમાજના યુવાનો અને આગેવાનોમાં ભારે રોષ ફેલાયો છે અને ન્યાયની માગણી તીવ્ર બની છે.આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે અને SITની રચના કરવામાં આવી છે, જેમાં પોલીસ અધિકારીઓને સમન્સ પણ પાઠવાયા છે. પરંતુ સમાજના માનવા પ્રમાણે તપાસમાં વિલંબ અને સાચા આરોપીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેના કારણે અસંતોષ વધ્યો છે.આજે ભાવનગર પશ્ચિમ વિસ્તારના બોરતળાવ ખાતે કોળી સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 1 ફેબ્રુઆરીએ ન્યાય માટે મહાસભાનું આયોજન કરવાની જાહેરાત કરી હતી.સમાજના આગેવાનોએ યુવાનોને પહોંચવા અનુરોધ કર્યો છે.


