Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana: કોળી સમાજનું એલાન-એ-જંગ, સુરત, બોટાદ બાદ હવે લીંબડીથી ગાડીઓનો કાફલો પહોંચ્યો બગદાણા

Bagdana Controversy: ભાવનગર (Bhavanagar) જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના  નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. પીડિત નવનીતભાઈ બાલધિયાના સમર્થનમાં કોળી સમાજના લોકો દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.  હવે લીંબડીથી ગાડીઓનો કાફલો બગદાણા પહોંચ્યો છે.
Advertisement
  • બગદાણાના (Bagdana) 'બખેડા'માં આજના મોટા સમાચાર
  • લીંબડી તાલુકાના કોળી સમાજના આગેવાનો બગદાણાની મુલાકાતે
  • કોળી સમાજના આગેવાનો નવનીતભાઈની ખબરઅંતર પૂછવા રવાના
  • અંદાજે 50થી વધુ ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો નિકળ્યા
  • દોષિતો સહિત જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

Bagdana Controversy: ભાવનગર (Bhavanagar) જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના  નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. પીડિત નવનીતભાઈ બાલધિયાના સમર્થનમાં કોળી સમાજના લોકો દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.  સુરત, બોટાદ સહિત વિવિધ શહેરોમાંથી કોળી સમાજના આગેવાનો બગદાણા પહોંચી રહ્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગરના લીંબડીમાંથી  કોળી સમાજના આગેવાનો બગદાણાની મુલાકાતે પહોંચી રહ્યા છે.  અંદાજે 50થી વધુ ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો  નવનીતભાઈની ખબરઅંતર પૂછવા નિકળ્યા છે.   તેમને દોષિતો સહિત જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

બગદાણાના બખેડાને લઈને પીડિત નવનીત બાલધિયાનું નિવેદન

બગદાણાના બખેડાને લઈને પીડિત નવનીત બાલધિયાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં બગદાણાના કેસમાં SITની રચના થયા બાદ તમમ આઠ આરોપીઓના ફરધર રીમાન્ડ ત્રણ દિવસ ના મંજુર થયા તેના થી નવનીત ભાઈને ન્યાયની આશા જાગી છે. SITની તપાસને લઈને નવનીતભાઈને ન્યાય મળવાની આશા છે.નવનીત ભાઈ એ કહ્યું કે મને વિશ્વાસ મુખ્ય આરોપી નું નામ SIT ઉમેરે તેવી માંગ છે વધુમાં તેમણે કહ્યું કે, જે આરોપીઓ પકડ્યા છે એ તો માત્ર સાગરિતો છે,મુખ્ય આરોપીને તો પકડવામા જ નથી આવતો, નવનીત ભાઈ કહ્યું કે અગાઉ પોલીસ મુખ્ય આરોપીઓની સાથે હતી તેવો આક્ષેપ કર્યો હતો પરંતુ હવે સમાજના સાથ ના કારણે SIT તપાસ કરી રહી છે તેના પર પૂર્ણ વિશ્વાસ છે મને ન્યાય મળશે.

Advertisement

શું છે સમગ્ર વિવાદ ?

આ વિવાદનું મૂળ બગદાણામાં આશ્રમ સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા હુમલામાં છે. લોકગાયક માયાભાઈ આહિરના કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીને સુધારવા માટે નવનીતભાઈએ વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો. નવનીતભાઈએ આરોપ લગાવ્યો કે માયાભાઈના પુત્ર જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો:  Bagdana Controversy: કોળી સમાજની લીગલ ટીમ બગદાણા પહોંચી, નવનીત બાલધિયાએ હવે શું કહ્યું?

Tags :
Advertisement

.

×