Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar માં થયેલા હત્યાકાંડના વિરોધમાં સુરતમાં કેન્ડલ માર્ચ, રબારી સમાજમાં ભારે રોષ

ભાવનગર ખાતે ફોરેસ્ટ ઓફિસર દ્વારા કરવામાં આવેલી હત્યાના ગંભીર મામલાના વિરોધમાં સુરતના વરાછા વિસ્તારમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રબારી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.
Advertisement
  • Bhavnagar માં Forest Officer એ કરેલી હત્યાનો મામલો
  • હત્યાને લઈને સુરતના વરાછામાં કરવામાં આવ્યું કેન્ડલ માર્ચ
  • રબારી સમાજના અગ્રણીઓ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું
  • ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
  • હત્યાની ઘટનાને લઈ સમાજના લોકોમાં ભારે રોષ
  • દસ દિવસ સુધી આરોપીએ પણ સમાજના લોકોને ગેરમાર્ગે દોર્યા
  • ત્રણેય મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના

Bhavnagar murder case : ભાવનગર ખાતે ફોરેસ્ટ ઓફિસર દ્વારા કરવામાં આવેલી હત્યાના ગંભીર મામલાના વિરોધમાં સુરતના વરાછા વિસ્તારમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રબારી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

આ માર્ચ દરમિયાન, હત્યાની આ ઘૃણાસ્પદ ઘટનાને લઈને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને ઘણા લોકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. વધુમાં, એવા પણ આક્ષેપો છે કે હત્યાના આરોપીએ લગભગ 10 દિવસ સુધી સમાજના લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. કેન્ડલ માર્ચના અંતે, હાજર સૌએ દિવંગત ત્રણેય મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

આ પણ વાંચો :   Bhavnagar : કમોસમી વરસાદ-માવઠાએ ડુંગળીના ખેડૂતોને પાયમાલ કર્યા

Advertisement

Tags :
Advertisement

.

×